કોઈએ સાચું જ કહ્યું છે કે વ્યક્તિ હૃદયથી ગરીબ અથવા સમૃદ્ધ હોય છે, પૈસાથી નહીં. તાજેતરમાં કર્ણાટકના 64 વર્ષીય ફળ વેચનાર હરેકલા હજબ્બા એ તે સાબિત કરી દીધું છે. હરેકલા હજબ્બા લગભગ 10 વર્ષથી નારંગી વેચીને થતી બચત માંથી ગરીબ બાળકો માટે શાળાઓ ચલાવે છે. આ કારણોસર તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.
હરેકલા હજબ્બાએ સાબિત કર્યું કે શિક્ષણનું શું મહત્વ છે. બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, એક વખત વિદેશી ગ્રાહકે તેમને અંગ્રેજીમાં ફળ નો ભાવ પૂછ્યો હતો. જેનો તેઓ જવાબ આપી શક્યા ન હતા. એટલા માટે તેઓ તેમના ગામના બાળકોને શીખવવા માંગે છે જેથી તેમને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
હરેકલા હજબ્બા એક ઉદાહરણ છે. આજે સમાજને તેમના જેવા લોકોની જરૂર છે. શિક્ષણ જ સમાજને સશક્ત બનાવી શકે છે. હરેકલા હજબ્બાની વાર્તા આઇએફએસ અધિકારી પરવીન કસ્વાને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. તેમણે શેર કર્યું હતું કે જ્યારે હજબાને પદ્મ પુરસ્કાર એનાયત થવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ કરિયાણા ની દુકાન પર લાઇનમાં ઉભા હતા. આ સમાચાર સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયા.
હકીકતમાં, કેટલાક લોકો ઇતિહાસ રચવા આવે છે. આવી સ્થિતિમાં હરેકલા હજબ્બા આપણા માટે પ્રેરણા પૂરી પાડે છે.