Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!
MT Online Correspondent

અમદાવાદઃ હાલમાં ઉનાળો ચરમસીમાએ છે. સૂર્ય ભગવાન સવારથી જ તાપ દેખાડવા લાગ્યા છે. ત્યારે જેમ જેમ સૂરજદાદા ઉંચે ચડે છે તેમ તેમ ગરમીમાં વધારો થતો જાય છે. ગરમ પવનના ઝાપટાંથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. 25મીથી એટલે કે આજથી નૌતપા શરૂ થઈ રહ્યા છે. જ્યોતિષના મતે આ વખતે નૌતપામાં ગ્રહોની સ્થિતિમાં સૂર્ય ભગવાન ભીષણ આગ ફેલાવશે. ગ્રહોની યુતિને કારણે ભેજવાળું અને અસ્વસ્થ વાતાવરણ લોકોને બીમાર કરી શકે છે. આવી સ્થિતિમાં સાવધાનીની જરૂર પડશે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચાવવાની જરૂર પડશે.
નવ તપ 25 મેથી શરૂ થશે અને 3 જૂન સુધી ચાલશે. સૂર્ય અને ગુરુના સંયોગને કારણે આ યોગ બની રહ્યો છે, નવ દિવસ સુધી આંધી-તોફાન અને વરસાદ સાથે તીવ્ર ગરમીની સંભાવના છે.
સવારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે
જ્યોતિષ પંડિત જનાર્દન શુક્લાએ જણાવ્યું કે, 25 મેથી નૌતપાનો પ્રારંભ થશે. આ દિવસે સવારે 7.56 વાગ્યાથી સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સાથે જ નૌતપાનો પ્રારંભ થશે. આ વખતે નૌતપા 3જી જૂને સવારે 8.11 વાગ્યા સુધી રહેશે. આ નવ દિવસો દરમિયાન સૂર્ય પૃથ્વીની નજીક હશે જેના કારણે ગરમીમાં વધારો થશે. આવી સ્થિતિમાં અન્ય દિવસોની સરખામણીએ તાપમાનનો પારો સામાન્ય કરતાં વધુ રહેશે.
જ્યોતિષ શાસ્ત્રી પંડિત કહે છે કે, એક તરફ સૂર્ય ભગવાન તેની ચરમસીમાએ હશે, તો બીજી તરફ ગુરુને સૌમ્ય ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે બંનેની યુતિથી ભારે ગરમી પડશે. જો કે, ગુરુના પ્રભાવને કારણે તેની અસર હળવી બનશે. આવી સ્થિતિમાં આ નવ દિવસોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની પણ સંભાવના છે. જે ગરમીની સાથે ભેજ અને બેચેનીમાં વધારો કરશે. જેના કારણે ચેપનો ખતરો વધી જશે. આ ચેપ દરમિયાન શરદીથી પીડિત લોકો અને તેમાંય ખાસ કરીને વૃદ્ધોના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર પડશે. તેમને ભેજથી બચાવવા અને તેઓ શક્ય તેટલું વધુ પ્રવાહી લે છે તેની ખાતરી કરવી શ્રેષ્ઠ રહેશે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

31મી મેના દિવસે બુધનું વૃષભ રાશિમાં ગોચર, જાણી લો આ રાશિના જાતકો સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો
Buch Gochar in Taurus: બુધ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી મેના રોજ ગોચર કરશે. તે તમામ લોકોના જીવન પર […]

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો
ધાર્મિક ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રનું વિશેષ મહત્વ છે. તેમના આંતરસંબંધોની ગણતરી કરીને આગાહીઓ કરવામાં આવે છે. ગ્રહો […]

મહાદેવની કૃપાથી આ રાશીઓને મળશે લાભ, જાણો કયી રાશિને શુ મળશે લાભ ??
એક સારું અને ખુશહાલ જીવન જીવવાનું સપનું કોઈ પણ વ્યક્તિ ને હોઈ છે, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સારામાં સારું […]

ઘરમાં મોરપીંછ લગાવો થશે આ ફાયદા
મોર ભગવાન કાર્તિકેયનુ વાહન છે. કાર્તિકેય દેવતાઓની સેનાના સેનાપતિ છે. પણ તેમણે ખુદના વાહનના રૂપમાં મોરને પસંદ કર્યા છે. મોરપીંછ […]
