અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને તાજેતરમાં જ માદક દ્રવ્યોના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ ત્રણેય અભિનેત્રીઓની લાંબા સમયથી પૂછપરછ કરવામાં આવી હતી અને તેમનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે એનસીબી ફરીથી આ અભિનેત્રીઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. પરંતુ તે દરમિયાન, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, એનસીબીને ડ્રગ કેસને આરામથી હલ કરવા માટે ઉપરથી ઓર્ડર અપાયા છે. જેથી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છબીને નુકસાન ના થાય.
આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે દીપિકા પાદુકોણ, તેના મેનેજર કરિશ્મા પ્રકાશ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન વિરુદ્ધ એનસીબી પાસે આવો કોઈ કેસ નથી, જેના આધારે તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકાય છે.
સુશાંત સિંહની છબીની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે
તાજેતરમાં જ્યારે એનસીબીએ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તો આ ત્રણેય અભિનેત્રીઓએ ડ્રગ્સ ન લેવાનું કહ્યું હતું. આ સાથે જ શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાને પણ સુશાંત સિંહ વિશે ઘણા આઘાતજનક નિવેદનો આપ્યા હતા અને સુશાંત પર તમામ આરોપો લગાવ્યા હતા. શ્રદ્ધા કપૂરે એનસીબીના અધિકારીઓને કહ્યું કે તે ડ્રગ્સનું સેવન કરતી નથી. પરંતુ તેણે સુશાંતને ઘણી વખત ડ્રગ્સ લેતા જોયો છે. સુશાંત ઘણીવાર ફિલ્મના શૂટિંગ દરમિયાન ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો.
સારા અલી ખાને એનસીબીને કહ્યું કે તે સુશાંતને ડેટ કરી રહી છે. તેઓ પણ છ મહિના માટે સાથે હતા. પરંતુ સુશાંતનું વર્તન યોગ્ય નહોતું. જેના કારણે સારાના પરિવારજનો આ સંબંધથી ખુશ ન હતા અને સારાના પરિવારે તેને સુશાંત સાથેના બધા સંબંધો સમાપ્ત કરવા જણાવ્યું હતું. જે બાદ સારા સુશાંતથી અલગ થઈ ગઈ હતી. સારાએ એનસીબીને એમ પણ કહ્યું હતું કે, તે સુશાંત ડ્રગ્સ લેતો હતો.
આ કેસમાં જે રીતે સુશાંતની છબી બગડી રહી છે તે જોતા હવે એનબીસીને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે કે આ મામલાને આરામથી નિવારવામાં આવે.
એનસીબીની છબી પણ ખરાબ થઈ રહી છે
અહેવાલો અનુસાર એનસીબીના અધિકારીઓની મંગળવારે મુંબઇ અને દિલ્હીમાં બેઠક થઈ હતી. જેમાં ચર્ચા થઈ હતી કે આ સમગ્ર મામલામાં ખુદ એનસીબીની છબી દૂષિત થઈ રહી છે. ખરેખર, ધર્મ પ્રોડક્શન માટે કામ કરનારા ક્ષિતિજ પ્રસાદે એનસીબી પર આરોપ લગાવ્યો હતો કે બ્લેકમેલ કરતો હતો. પ્રસાદના વકીલ સતીષ માનશીંડેએ રવિવારે બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે ક્ષિતિજ પ્રસાદને એનસીબી દ્વારા કરણ જોહર અને તેના ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે દબાણ કરવામાં આવ્યું છે. સૂત્ર અનુસાર એનસીબી પાસે દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળશે નહીં તો અભિનેત્રીઓને આગળ પૂછપરછ માટે બોલાવવામાં આવશે નહીં.