નવી સ્ક્રેપ પૉલિસીને લઈને સુરત RTO એ આપ્યા ચોંકાવનારા આંકડા, જશે આટલી ગાડીઓ ભંગારમાં

13 ઓગસ્ટ ના દિવસે ગાંધીનગર થી દેશની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જે પીએમ મોદી વિડિયો કોન્ફ્રન્સના આધારે કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન કેન્દ્રીય પરિવાહન પ્રધાન નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. જે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગ ખાતે શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સ્ક્રેપ પોલિસી મામલે દેશના મહત્વના 200 થી વધુ ઓટોમોબાઇલ ડિલર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને આ ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સ્ક્રેપ પોલિસી મહત્વની સાબિત થશે.

જો કે હાલમાં રાજ્યમાં 5 કરોડ જેટલા વાહનો 15 વર્ષ જુના છે. જે દેશમાં ઈલેક્ટ્રીક વાહનનોને પોત્સાહન મળે તેમન પ્રદૂષણની માત્ર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી પોલિસી જાહેર કરવામાં આવી છે. ત્યારે વચ્ચે સુરત RTO માંથી ચોંકાવનારા આંકડા મળ્યા છે. હવે નક્કી થઈ ચૂક્યું છે કે, કેન્દ્ર, રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન 15 વર્ષ જૂના વાહનો (કાર, જીપ, ટ્રક, રોડવેઝ બસ) વગેરેને સ્ક્રેપમાં વેચવામાં આવશે.

આવા વાહનોનું 1 એપ્રિલ, 2022 બાદ દેશમાં ક્યાંય પણ રજિસ્ટ્રેશન નહીં થઈ શકે. એવામાં સુરત RTOમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે વર્ષ 1961 થી 2021 દરમિયાન સુરત RTOમાં નોંધાયેલા વાહનોના આધારે સંભવિત સ્ક્રેપના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં RTOમાં નોંધાયેલા વાહનોની આવરદા પુરી થઈ ગઈ હોવા છતાં રજિસ્ટ્રેશન કેન્સલ કરાવવા આવનાર વાહનોની સંખ્યા ઘણી ઓછી નોંધાઈ છે. છેલ્લા 10 વર્ષમાં માત્ર 25 હજાર વાહનોના રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા છે.

આરટીઓમાંથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે, 57.57 ટકા ટેન્કર, 22.21 ટકા સ્કૂલ બસ, 30.51 ટકા રીક્ષા અને અન્ય વાહનો મળી કુલ 36.74 ટકા વ્યાપારિક અને 18.22 ટકા ખાનગી વાહનો સ્ક્રેપમાં જશે. વર્ષ 1961થી વર્ષ 2021 દરમિયાન આરટીઓમાં નોંધાયેલા વાહનોના આધારે સંભવિત સ્ક્રેપના આંકડા કાઢવામાં આવ્યા છે. ત્યારે સરકારની આ નવી સ્ક્રેપ પૉલિસી હેઠળ સુરત શહેરમાં નોંધાયેલી 53 હજાર કારો સ્ક્રેપમાં જશે. અને 5.26 લાખ બાઈક, 22 હજાર રિક્ષા, 13 હજાર ટ્રક અને 1,258 બસ સ્ક્રેપમાં જશે. આ સિવાય 103 પોલીસવાન પણ આ નવી નવી સ્ક્રેપ પૉલિસીમાં જશે.

નવા નિયમો પ્રમાણે વર્ષ 2005 પહેલાંના વાહનો સ્ક્રેપ થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 વર્ષ બાદ વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી અંગે વિચારણાં હાથ ઘરવામાં આવી છે. કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન 15 વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે.

રૂપાણી સરકાર સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે. ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે. દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે.

Scroll to Top