મંકીપોક્સ વાયરસ માટે ક્વોરેન્ટાઇન ફરજિયાત, આ દેશે આપ્યો કડક આદેશ
બેલ્જિયમે મંકીપોક્સ વાયરસથી પીડિત લોકો માટે 21 દિવસની ક્વોરેન્ટાઇન ફરજિયાત બનાવી છે. મંકીપોક્સ વાયરસ માટે ક્વોરેન્ટાઇન સિસ્ટમ દાખલ કરનાર તે પહેલો દેશ બન્યો છે. અત્યાર સુધીમાં 14 દેશોએ મંકીપોક્સ વાયરસની હાજરી નોંધાવી છે. કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો ન હતો કે હવે મંકીપોક્સ વાયરસથી લોકો ડરી ગયા છે. ત્યાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ વાયરસને લઈને ગંભીરતા બતાવતા વિશ્વના તમામ દેશોને સાવચેત રહેવાની સૂચના આપી છે.
આ વાયરસ સંક્રમિત જીવોમાંથી માણસોમાં ફેલાય છે. બ્રિટનમાં શરૂ થયેલા મંકીપોક્સ વાયરસના કેસ હવે કેનેડા અને સ્પેન સહિત 14 દેશોમાં પુષ્ટિ થયા છે. ચેપગ્રસ્ત લોકોમાં મોટાભાગના યુવાન દર્દીઓ છે. તેથી બેલ્જિયમમાં ત્રણ કેસ નોંધાયા પછી, બેલ્જિયમના આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે જેઓ વાયરસનો ચેપ લગાવે છે તેઓએ હવે ત્રણ અઠવાડિયા માટે ક્વોરોન્ટાઇન રહેવું પડશે.
શુક્રવારે અહીં મંકીપોક્સનો પહેલો કેસ નોંધાયો હતો. તો સાથે જ બેલ્જિયમ સરકારના ક્વોરેન્ટાઈનના નિર્ણયને ત્યાંના તબીબોએ મહત્વપૂર્ણ ગણાવ્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ વાયરસના વિકાસને રોકવા માટે આ યોગ્ય પગલું છે.
તમને જણાવી દઈએ કે, મંકીપોક્સ વાયરસ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં WHOએ વધુ કેસોની ઓળખ થવાની આશા વ્યક્ત કરી છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે, તેથી તેને ક્વોરોન્ટાઇન અને સ્વચ્છતા જેવા પગલાં દ્વારા સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.
નોંધનિય છે કે, બ્રિટનમાં 7 મેના રોજ તાજેતરમાં નાઇજીરિયા ગયેલા દર્દીમાં આ રોગના લક્ષણો પ્રથમ વખત જોવા મળ્યા હતા. ધીમે ધીમે આ રોગ હવે યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ ફેલાઈ રહ્યો છે. આ વાયરસ સામાન્ય રીતે આફ્રિકાના ભાગોમાં ચેપગ્રસ્ત જંગલી પ્રાણીઓમાં જોવા મળ્યો હતો.
7958માં પહેલીવાર વાંદરાને રિસર્ચ માટે રાખવામાં આવ્યો હતો જ્યાં આ વાઇરસ પહેલીવાર મળી આવ્યો હતો. ત્યાં જ વર્ષ 1970 માં માનવોમાં આ વાયરસની પ્રથમ પુષ્ટિ થઈ હતી. આ રોગના લક્ષણો વિશે વાત કરીએ તો શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સોજો અને કમરનો દુખાવો શામેલ છે. ફોલ્લીઓ સામાન્ય રીતે તાવની શરૂઆતના એકથી ત્રણ દિવસ પછી દર્દીઓમાં દેખાય છે. ફોલ્લીઓ પણ ખંજવાળ આવે છે.
આ ચેપ સામાન્ય રીતે બે થી ચાર અઠવાડિયા સુધી ચાલે છે અને સામાન્ય રીતે તેની જાતે જ સારું થઈ જાય છે. મંકીપોક્સ માટે હાલમાં કોઈ સાબિત અને સલામત સારવાર નથી, જો કે મોટાભાગના કેસો હળવા હોય છે. આ મામલામાં અત્યાર સુધી કોઈ મૃત્યુની જાણ નથી થઈ, પરંતુ વિશ્વમાં જે ઝડપે તે ફેલાઈ રહ્યો છે તેને જોતા WHOએ સાવચેત રહેવા જણાવ્યું છે.