રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણીને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે. આ કારણોસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયો છે. તે અનુસાર જન્માષ્ટમી તા. 30મી ઓગસ્ટના રોજ સોમવારની રાત્રીના 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાય તે માટે જે 8 મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલમાં છે તે મહાનગરોમાં તા.30મી ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફ્યું રાત્રિના 1 વાગ્યાથી અમલી કરવામાં આવ્યો છે.
જ્યારે મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ અપાઈ આવી છે. મંદિરોમાં દર્શન માટે આવનારા દરેકે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સ S.O.P નું પાલન ફરજિયાત કરવું પડશે. તેના માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કુંડાળા-સર્કલ કરવા પણ જરૂરી ગણાવ્યા છે. તેની સાથે મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવા પડશે.
રાજ્યમાં જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તે માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૂટ ઉપર યાત્રાની છૂટ આપવામાં આવી છે. રાજયમાં જન્માષ્ટમીના તહેવારોના લોકમેળા યોજવાની પરવાનગીઅપાઈ નથી. તેમ જ મટકી ફોડ ઉત્સવને પરવાનગી અપાશે નહીં.
મુખ્યમંત્રી દ્વારા ગણેશોત્સવનું પર્વ આગામી તા. 9 સપ્ટેમ્બરથી તા. 19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાશે છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેમ છતાં સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપનાની પરવાનગી અપાઈ છે.