ભારત દેશમાં હજારો દેવી દેવતાઓના મંદિર અનેક જગ્યાએ આવેલા છે, આ મંદિરોમાં ભક્તો અનેક જગ્યાએથી દર્શન માટે આવતા હોય છે અને આશીર્વાદ મેળવીને તેમની મનોકામના પુરી કરતા હોય છે. દરેક મંદિર ને પોતાનો ઇતિહાસ હોય છે અને કઈક રહસ્ય છુપાયેલું હોય છે. આવું જ એક ખોડિયાર માતાજીનું મંદિર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સુગાળા ગામે આવેલું છે.
આ સુગાળા ગામે મંદિરમાં માતાજીના દર્શન કરવા માટે ઘણા બધા ભક્તો ખૂબ દૂરથી આવતા હોય છે અને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. આ મંદિરમાં દિવસમાં બે વાર આરતીના સમયે માતાજીના વાહન તરીકે મગર દર્શન આપે છે. તેથી મોટી સંખ્યામાં ખોડિયાર માતાજીના મંદિરમાં ભક્તો આરતી કરવા માટે આવતા હોય છે. કહેવાય છે કે સાક્ષાત ખોડિયાર મા આ મંદિરમાં બિરાજમાન છે.
શક્તિશાળી અને પ્રભાવી ખોડિયાર માતાજીના દર્શન માત્રથી જ ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી થાય છે. તેથી જે લોકોને સંતાન ન હોય તે લોકો મંદિરમાં આવીને ખોડિયાર માતાજીને પ્રાર્થના કરતાં હોય છે અને માનતા રાખતા હોય છે અને જયારે તેમના ઘરે બાળકનો જન્મ થાય ત્યારે લોકો મંદિરમાં આવીને માંના દર્શન કરે છે અને તેમના વ્હાલા બાળકનો ફોટો મંદિરમાં લગાવતા હોય છે. અહી આજે પણ ખોડિયાર માતાજી સાક્ષાત પરચા પુરે છે.
આ મંદિરમાં ખોડિયાર મા હાજરાહજૂર બિરાજમાન છે. તેથી મંદિરમાં આવતા દરેક શ્રદ્ધાળૂ ભક્તો ખોડિયાર માતાજીના દર્શન ચોક્કસ કરતા હોય છે. અહી માતાજીના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે અને તેમની મનોકામનાઓ ખોડિયાર મા પુરી કરે છે.