નોકરિયાતો માટે સારા સમાચાર, પગાર ને લઈને મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

દેશની હાલની આર્થિક સ્થિતિ જોઈ ને ભારત સરકાર દ્વારા અગત્ય નો નિર્ણય લેવાયો છે.જેમાં નોકરિયાત લોકો ને ઘણો ફાયદો થવાનો છે.અને આ મુજબ કેન્દ્ર સરકાર વન નેશન, વન પે ડે સિસ્ટમ લાગુ કરવા માગે છે.આ જાણકારી કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે આપી હતી.તેમણે જણાવ્યું હતું કે દેશમાં એક પગાર દિવસ, એક દેશ પોલીસી લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.

તેમણે કહ્યું હતું કે દેશમાં દેરક નાગરિકને એક જ દિવસે તેને મળનારો પગાર કે વેતન મળી જવું જોઇએ જેથી લોકોને સમયસર પોતાનું આ વળતર મળી શકે.અત્યાર સુધીમાં આશરે એક થિ દસ અથવા તો એક થી પાંચ વચ્ચે મળતો હતો પરંતુ હવે આ નિયમ મેં દૂર કરીને નિશ્ચિત સમય પરજ પગાર આપવાનો નિયમ આવ્યો છે.

હાલની દેશ ની આર્થિક સ્થિતિ ને વહેલી તકે સુધારવા માટે સરકાર ઘણા નવા નિયમો લઈ રહી છે ત્યારે આ નિયમ પણ તેના ભાગ સ્વરૂપ નોજ છે.મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશા છે કે ટૂંક સમયમાં આ માટે એક બિલ પણ સંસદમાં રજુ કરાશે.જે પસાર થઇ જશે તો આ નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે.

જો આ નિયમોને લાગુ કરી દેવામાં આવે તો દર મહિને એક જ દિવસમાં એટલે કે સમાન દિવસે કામદારો, મજૂરો કે પગારદારોને પગાર મળી શકશે.જેથી કરીને નોકરિયાત લોકો ને દરવખતે પાંચ થી છ દિવસ પગાર ની રાહ ના જોવી પડે.જોકે હવે સરકાર ના નવા નિયમ થી નોકરિયાત લોકો ને વધારે રાહ નઈ જોવી પડે.

વધુ માં સરકારે મળતું વેતન ને લઈને પણ જાહેરાત કરી હતી.ત્યારે સરકારે વેતન ને લઈને પણ થોડીક કડક થઈ છે.આ સાથે જ દરેક સેક્ટરમાં સમાન વેતન મળી રહે તે માટે પણ કેટલાક સુધારા કરવા જઇ રહ્યા છીએ.આમ થવાથી મજૂરોને યોગ્ય વેતન મળી રહેશે અને તેમની રોજીંદી જરૂરીયાતો પણ તે પુરી કરી શકશે.

હાલ અનેક એવા સેક્ટરો છે કે જેમાં પગાર ધોરણો ઘણા જ નીચા છે અને મામૂલી વેતન આપીને લોકો પાસેથી કામ લેવામાં આવે છે જેમાં હવે સુધારા કરવામાં આવશે.ત્યારે એવા મજૂરો ને પણ લાભ થશે જે વધુ કામ કરે છે અને ઓછું વળતર મેળવે છે.સરકાર હવે પોતાના નિયમો માં આર્થિક મંદી ને ધ્યાન માં રાખીને જ કામ કરી રહી છે.

આ જાહેરાત માં જાણવા મળ્યું છે કે સરકાર હવે દરેક રીતે એ વાત ની ખાસ જાણ રાખી રહી છે કે આ નિયમ ઉલટો ના થઈ જાય અને નિયમ અનુસાર કામ થાય.મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કામના સૃથળે કામદારો અને અન્ય કર્મચારીઓની સુરક્ષા, સ્વાસ્થ્ય તેમજ વર્કિંગ કંડિશન કોડ ઓએસએચ લઘુતમ વેતન કોડ લાગુ કરવા પર કામ કરી રહી છે.

સંસદ પહેલાથી જ લઘુતમ વેતનનો કાયદો પસાર કરી ચુકી છે અને હાલ તેના અમલની તૈયારી કરી રહી છે.જ્યારે ઓએસએચ 23મી જુલાઇ, 2019ના રોજ લોકસભામાં લાગુ કરવામાં આવ્યો હતો.હવે પછી સરકારનાં તમામ નિયમો એજ રેહશે કે તે હવે એવાજ કાર્ય કરે જેથી દેશની આર્થિક સ્થિતિ સુધરે અને રોજગાર વધે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top