બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘OMG 2’ના શૂટિંગ માટે ઉજ્જૈન પહોંચ્યા છે. 23 ઓક્ટોબરે અક્ષય કુમાર પોતાની ટીમ સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. અહીં તેમણે મહાકાલ મંદિરમાં બેરિકેડમાં ઉભા રહીને ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા.
અક્ષય કુમારે ફિલ્મના કો-સ્ટાર પંકજ ત્રિપાઠી સાથે ઉજ્જૈનના મહાકાલ શહેરમાં બાબા મહાકાલના દર્શન કર્યા હતા. કોરોના વાયરસના કારણે અક્ષય કુમારે આ દરમિયાન માસ્ક પહેરીને રાખ્યો હતો. એટલું જ નહીં, પંડિતે અક્ષય કુમારને કોરોનાના તમામ નિયમોને ધ્યાનમાં રાખીને પૂજા પણ કરાવી.
મળતી માહિતી મુજબ, અક્ષય કુમાર ઉજ્જૈનમાં પોતાની ફિલ્મ ‘OMG 2’ નું શૂટિંગ લગભગ બે અઠવાડિયા સુધી કરશે. આ ફિલ્મના કેટલાક દ્રશ્યો મહાકાલ મંદિરમાં શૂટ કરવામાં આવશે. આ સિવાય ઉજ્જૈન અને રામ ઘાટના અનેક મંદિરોમાં પણ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે. આ સાથે ફિલ્મમાં ઉજ્જૈનના અલગ-અલગ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો બતાવવામાં આવશે.
અક્ષય કુમારે શેર કર્યો લુક: આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. આ માહિતી અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાનો લુક શેર કર્યો છે. ફિલ્મ “OMG 2” નું શૂટિંગ શરૂ કર્યું સાથે જ તેને સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
પોતાનો લુક શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, ‘કર્તા કરે ન કર સકે શિવ કરે સો હોય..’ OMG2 માટે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓની જરૂર છે. એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશ આપવાનો આ અમારો નમ્ર અને નિષ્ઠાવાન પ્રયાસ છે. આદિયોગીની ઉર્જા આપણી આ યાત્રામાં અમારો સાથ આપે. હર હર મહાદેવ.
‘कर्ता करे न कर सके शिव करे सो होय ..’ 🙏🏻
Need your blessings and wishes for #OMG2, our honest and humble attempt to reflect on an important social issue. May the eternal energy of Adiyogi bless us through this journey. हर हर महादेव@TripathiiPankaj @yamigautam @AmitBrai pic.twitter.com/VgRZMVzoDy— Akshay Kumar (@akshaykumar) October 23, 2021
રામાનંદ સાગરની ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનાર અરૂણ ગોવિલ ફરીથી આ ફિલ્મમાં રામના રોલમાં જોવા મળશે. ફિલ્મ ‘OMG 2’નું નિર્દેશન અમિત રાય કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અભિનેત્રી યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા અરુણ ગોવિલ પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે રામના રોલમાં જોવા મળશે. અહેવાલો અનુસાર, અક્ષય કુમાર ખુદ અરુણ ગોવિલને રામનો રોલ ઓફર કરવા માંગતો હતો અને ગોવિલે અક્ષય કુમારની આ ઓફર સ્વીકારી હતી. અરુણ ગોવિલ ‘OMG 2’માં કામ કરવાના સમાચારથી તેના ચાહકો ખૂબ ઉત્સાહિત છે.
મળતી માહિતી મુજબ, અક્ષયની OMG-2 નું શૂટિંગ મહાકાલેશ્વર મંદિર સંકુલમાં કરવામાં આવી રહ્યું છે. આ માટે મંદિર પરિસરના અમુક ભાગને ફિલ્મ સેટમાં ફેરવી દેવામાં આવ્યો છે. સેટ પર પૂજાની વસ્તુઓ વેચવામાં આવી રહી છે અને ઘણી ગાડીઓ ગોઠવવામાં આવી છે. ઉજ્જૈનમાં આ ફિલ્મનું શેડ્યૂલ 17 દિવસનું છે. મહાકાલ મંદિર ઉપરાંત કાલભૈરવ મંદિર અને રામઘાટ પર પણ શૂટિંગ થશે. મહાકાલેશ્વર મંદિરની સાથે સાથે, શહેરના ઘણા સ્થળો અને અખાડાઓ પર શૂટિંગ કરી શકાય છે. OMG-2 નું શૂટિંગ 7 નવેમ્બર સુધી કરવામાં આવશે. તેનો અમુક ભાગ ઈન્દોરમાં પણ શૂટ કરવામાં આવશે.
અક્ષય કુમાર સફેદ રંગની ઓડી કારમાં મહાકાલ મંદિર પહોંચ્યો હતો. તે જોવામાં આવ્યું હતું કે કારની તમામ બારીઓ કાળી ફિલ્મથી ઢંકાયેલી હતી. સુપ્રીમ કોર્ટે કાર પર આવી બ્લેક ફિલ્મના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલે પોલીસનું કહેવું છે કે કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવાની મનાઈ છે. આ મામલે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
લોકોને પસંદ આવી હતી પહેલી ફિલ્મ: જણાવી દઈએ કે, OMG-2 એ OMG-1 ની સિક્વલ છે. આ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. ફિલ્મની વાર્તા ધાર્મિક વિધિઓ પર આધારિત હતી. તેણે રૂઢિવાદી માન્યતાઓ પર હુમલો કર્યો. OMG-2 ફિલ્મની વાર્તા અગાઉની ફિલ્મની વાર્તા પરથી આગળ વધશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તે ‘રામ સેતુ’, ‘પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’, ‘રક્ષાબંધન’, ‘અતરંગી રે’, ‘ગોરખા’, ‘સૂર્યવંશી’ અને ‘મિશન સિન્ડ્રેલા’માં કામ કરી રહ્યો છે.