જમ્મુ અને કાશ્મીર ઘાટી માં છેલ્લા ઘણા દિવસો થી સરકાર દ્વારા સૈનિકો ના ટોળે ટોળા ઉતારવા માં આવ્યા હતા ત્યારે સમગ્ર જમ્મુકસમીર ના લોકો ગભરાઈ ગયા હતા અને વધુમાં અમરનાથ યાત્રીઓ ને પાછા ઘરે રવાના કરવાના નિર્ણય થી તો જાણે કાશમીર વાસીઓ પાર આભ તૂટી પડ્યું હોઈ તેવો માહોલ બન્યો હતો.
પરંતુ આ સમગ્ર ઘટના થી પાડોશી દેશ ને જાણે કાંઈક થતું હોય તેમ પોતે ભારત વિરુદ્ધ બયાન આપે છે 73 વર્ષ જુનો કાયદો કે જેના ચાલતા ભારતવાસી માટે જમ્મુકાશ્મીર ફક્ત એક ટુરિસ્ટ પ્લેસ બની ગયું હતું પરંતુ મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કરતાં જમ્મુકસમીર ને સ્પેશ્યલ રાજ્ય નો અધિકાર આપનાર અનુચ્છેદ-370ને ખત્મ કરવાનો નિર્ણય લેતા પહેલી પ્રતિક્રિયા આવી છે.
ભારતના આ નિર્ણય પર જાણે પાકિસ્તાનમાં ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાની શેર બજારમાં જોરદાર કડાકો બોલાઇ ગયો છે.ત્યારે બીજીબાજુ પાકિસ્તાન ના પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન સંસદીય સમિતિની બેઠક બોલાવી છે. મીડિયા રિપોર્ટ્સના મતે ભડકેલા પાકિસ્તાને કહ્યું કે ભારતે ખૂબ જ ખતરનાક ખેલ ખેલ્યો છે. તેની ભયાનક અસર પડી શકે છે.આ નિર્ણય ફક્ત ભારત ના હિતમાજ છે આ નિર્ણય થી અમે સહેમત નથી.
વધુમાં બાકી રહી ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ કહ્યું કે ભારત ખૂબ જ ખતરનાક ગેમ રમી રહ્યું છે. આખા વિસ્તાર પર તેની ઘાતક અસર પડી શકે છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કાશ્મીરના મુદ્દાને સમાધાનની તરફ લઇ જવા માંગે છે જ્યારે ભારત સરકારે આ નિર્ણયથી સમસયાને વધુ જટિલ બનાવી દીધું છે.
હવે કાશ્મીરીઓ પર પહેલાંથી પણ વધુ પહેરો બેસાડી દીધો છે. અમે આ અંગે સંયુકત રાષ્ટ્રને વાત આપ્યું છે. અમે ઇસ્લામિક દેશોને પણ આ અંગે જણાવી દીધું છે.પાકિસ્તાન પોતાની તમામ શક્તિ હવે આ નવા નિર્ણય ના વિરોધ માટેલગાવી દીધી છે.અને આવામાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયની તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં તેઓ એ કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં પાકિસ્તાન એક કથિત પક્ષકાર તરીકે ભારતના આ પગલાંને ખત્મ કરવા માટે તમામ સંભવિત ઉપાયોને અજમાવશે. પાકિસ્તાને કહ્યું કે તમામ મુસલમાન મળીને કાશ્મીરીઓની સલામતીની દુઆ કરે.
પાકિસ્તાની કોમ સંપૂર્ણપણે કાશ્મીરીઓની સાથે છીએ.જેવી અનેક વાતો કરીને પાકિસ્તાન કાશ્મીર વાસીઓ ને ભરમાવ માંગે છે અને તમામ ભારતીય મુશલીમ સંઘઠન ને પણ ભારત વિરુદ્ધ ફળકાવે છે પાકિસ્તાન અગાવ પણ ઘણી કરતૂતો કરીચુક્યું છે અને અત્યારે પણ આ નવા નિર્ણય થી ફળકેલું પાકિસ્તાન પોતાની તમામ શક્તિ સાથે આ નવા કાયદા નો વિરોધ કરે છે પરંતુ તમામ દેશ વાસીઓ આ નિર્ણય થી ખુશ છે