IndiaInternationalNews

પાકિસ્તાન સેના પર હુમલો, મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હોવાની શંકા

પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યાછે. પ્રાપ્ત માહિતી મુજબ, બલૂચ સ્વતંત્રતા સેનાનિયો દ્વારા પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ હુમલો રોકેટ અને બીજા ઘાતક હથિયારો વડે કરાયો છે.

આ ઘટના અવારાન જિલ્લાના પિરાંજર વિસ્તારમાં બનતી રહે છે. આ જગ્યા બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ હુમલામાં મોટી સંખ્યામાં સૈનિકોના મોત નીપજ્યા છે. જ્યારે IED બ્લાસ્ટમાં પાકિસ્તાની સેનાનું વાહન ક્ષતિગ્રસ્ત પણ થયું છે.

જ્યારે આ બાબતમાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સેનાના વાહન પર પાકિસ્તાની ઝંડો રહેલો હતો. આ હુમલામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે પાંચ ઈજાગ્રસ્ત થયા હતા. મોતને ભેટેલા સૈનિકોમાં પાકિસ્તાની સેનાના લાંસ નાયક મોહમ્મદ મુનીરનું નામ પણ સામેલ છે.

તેની સાથે આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબ્રેશન ફ્રંટે દ્વારા લેવામાં આવી છે. આ બાબતમાં બીએલએફના પ્રવક્તાએ જણાવ્યું છે કે, પાકિસ્તાની સેનાના 11 લોકો માર્યા ગયેલા છે. પાકિસ્તાની સેના પર આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે કેમ કે, આ લોકો તે વિસ્તારમાં એક ઓપરેશનનને પાર પાડવા માટે આવ્યા હતા.

આ હુમલામાં હાલમાં કેટલા લોકો પણ માર્યા ગયા હતા તે હજુ જાણવા મળ્યું નથી. આ ઘટના અંગે પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેમ છતાં પાકિસ્તાનની સેના પર બલૂચિસ્તાનના લોકો પર અત્યાચાર કરવાનો આરોપ લગાવવામાં આવતો રહે છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker