CricketSports

વિરુષ્કાના લગ્ન પર કોમેન્ટ કરી બરાબરનો ભેરવાયો શોએબ અખ્તર…કહ્યું ના કહેવાનું- Video

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથેના લગ્નને લઈને ઘણીવાર ટ્રોલ થઈ છે. પરંતુ, અભિનેત્રીના ચાહકો હંમેશા તેમના ફેવરિટ સ્ટાર સાથે ઉભા જોવા મળતા હતા. હવે ફરી એકવાર અભિનેત્રીના ચાહકો તેને સમર્થન આપી રહ્યા છે અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર પર ભારે પડતા જોવા મળી રહ્યા છે. ખરેખરમાં શોએબ અખ્તરે વિરાટ કોહલીના અનુષ્કા શર્મા સાથેના લગ્ન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે અનુષ્કાના લગ્નથી ભારતીય બેટ્સમેનના ક્રિકેટ કરિયર પર અસર પડી છે.

વિરાટ કોહલી-અનુષ્કા શર્માના લગ્ન પર ટિપ્પણી કરતા શોએબ અખ્તરે કહ્યું- ‘જો હું ભારતમાં હોત અને ફાસ્ટ બોલર હોત તો લગ્ન ન કર્યા હોત. હું મારા ક્રિકેટ પર ધ્યાન આપીશ, આ મારી વિચારસરણી છે. આ કોહલીનો અંગત નિર્ણય હતો. જો તમે મને પૂછ્યું હોત તો મેં મારા ક્રિકેટ પર ધ્યાન આપ્યું હોત.

શોએબ અખ્તરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ખાસ કરીને અનુષ્કા શર્માના ચાહકોને શોએબનું આ વલણ બિલકુલ પસંદ ન આવ્યું. ઘણા યુઝર્સે તેમને એક પછી એક નિશાન બનાવવાનું શરૂ કર્યું. આના જવાબમાં એક યુઝરે લખ્યું- ‘શરમજનક. વિરાટ કોહલીના અંગત જીવન પર ટિપ્પણી કરીને બધાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેણે પાકિસ્તાનમાં નાગરિકો અને ક્રિકેટની દયનીય સ્થિતિ વિશે વાત કરવી જોઈએ.

તે જ સમયે, કેટલાકે તેને યાદ અપાવ્યું કે લગ્ન પછી મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવ જેવા કેપ્ટનોએ ક્રિકેટના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું. યુઝરે ટ્વીટ કર્યું, ‘હું કહું છું. લગ્ન બાદ કપિલે WC 83 જીતી હતી. લગ્ન બાદ ધોનીએ WC 11 જીત્યો…” આવા અનેક ટ્વિટર પર શોએબને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017 માં ઇટાલીમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. તેણે જાન્યુઆરી 2021માં વામિકાને જન્મ આપ્યો. જેની પ્રાઈવસી જાળવવા બંને પોતપોતાના પ્રયાસો કરે છે. તાજેતરમાં વામિકાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. જે બાદ વિરાટ-અનુષ્કાએ પોસ્ટ શેર કરતા તમામ મીડિયા હાઉસને આમ ન કરવાની અપીલ કરી હતી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker