પત્ની અન્ય યુવકના પ્રેમમાં પડતા પતિએ કંટાળીને જીવન ટૂંકાવી દીધું, બાદમાં પત્નીનું દિલ પીગળતા…

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો પતિ પત્ની હોવા છતાં અન્યના પ્રેમમાં પડી જાય છે. ત્યારે સમાજમાં પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ (Pati, patni aur woh) છાસવારે બનતા રહે છે.

આ ઉપરાંત પતિ પત્નીના અન્ય પુરુષ કે અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવાના કિસ્સો સામે આવે છે. જેના કારણે પણ એક ખુશાલ પરિવાર વેરવિખેર થયા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. દેશમાંથી ઘણીવાર એવા કિસ્સો સામે આવે છે, જેમાં પતિ અથવા પત્ની કંટાળી આત્મહત્યા જેવું પગલુ ભરી લેતા હોય છે.

ઘણીવાર પત્નીના અવૈદ્ય સંબંધથી કંટાળી પતિ આત્મહત્યા કરી લેતો હોય છે, તો ઘણીવાર પત્ની પતિના અવૈદ્ય સંબંધોથી કંટાળી જીવન ટૂંકાવી લેતી હોય છે. ત્યારે આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ બનાવ ભોપાલના ટીટીનગર વિસ્તારમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જે પત્નીની બેવફાઈથી પરેશાન યુવકે ગુરુવારે રાત્રે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

પતિએ પત્નીની બેવફાઇથી કંટાળી પોતાને ફાંસી લગાવી લીધી અને પત્નીને પતિના મોતના સમાચાર મળતા જ તેણે પણ પોતાનું જીવન ટૂંકાવી લીધુ. જે પતિના મોતના સમાચાર મળતાં શુક્રવારે સવારે ઘરે પહોંચેલી પત્નીએ પેટ્રોલ છાંટી પોતાના શરીર પર આગ ચાંપી દીધી હતી. જેનેની જાણ થતા જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જે સારવાર દરમિયાન બપોરે તેનું પણ મોત નીપજ્યું હતું. જો કે સુધા પોતાને આગ લગાવ્યા બાદ પોતાના ચાર વર્ષના દીકરાને પણ આગ લગાવવા માગતી હતી. જે તેના પરિવારજનોએ માંડ દીકરાને ખેંચીને બચાવી લીધો હતો.

આ યુવક ભોપાલના પીએચઇ કોલોનીમાં રહેતો અક્ષય સોમકુંવર વલ્લભ ભવનમાં લિફ્ટ ઓપરેટર હતો. આ બંને યુગલે 2014માં લવ મેરેજ કર્યા હતા. તેમનો 4 વર્ષીય દીકરો પણ છે. ગુરુવારે રાત્રે આશરે 12:30 વાગ્યા આસપાસ અક્ષયે તેની પત્નીની સાડીમાંથી ફાંસો બનાવીને પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. જ્યારે તેની માતાએ પુત્રને ફાંસી પર લટકતો જોયો, ત્યારે પડોશીઓની મદદથી તેને જેપી હોસ્પિટલમાં લઇ ગયા. જયાં હાજર ડોક્ટરે અક્ષયને મૃત જાહેર કર્યો હતો.

પોલીસને આ યુવક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેને પત્નીના આશિક (સાગર બાબા) માટે જણાવ્યું હતું કે તેને સાગરને પગે લાગીને પત્ની અને બાળકને મળવા માટે આજીજી કરી હતી, પરંતુ તે માન્યો ન હતો. સાગર બાબાએ મારુ જીવન નષ્ટ કરી દીધું છે. હું મારી પત્ની, અને તેના પ્રેમી સાગર બાબાને કારણે આત્મહત્યા કરી રહ્યો છું. જો કે પોલીસે પરિવારને સુસાઇડ નોટ વાંચવા દીધી ન હતી. પોલીસ હાલમાં આ સાગર નામના પ્રેમીની શોધ કરી રહી છે.

Scroll to Top