પત્નીનું અન્ય સાથે અફેરની શંકા જતાં ધારણ કર્યું વિકરાળ રૂપ, બે બાળકો મોતને ઘાટ ઉતારી સંબંધીઓને મોકલ્યો વિડીયો

પતિ-પત્નીનો સાથ લાઇફટાઇમ માટે સાથે હોય છે. જેથી આ સંબંધમાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે વિશ્વાસ ડગમગી જાય ત્યારે લગ્નજીવનમાં મોટી ઉથલપાથલ મચી જતી હોય છે અને તેનો અંજામ ક્યારેક ઘણો જ ભયાનક આવતો હોય છે. કારણકે વિશ્વાસ જ પ્રેમને આગળ વધારવાનું કામ કરે છે.

જો વિશ્વાસ શકની જગ્યા લઇ લે છે તો સંબંધ ખતમ થવા લાગે છે. પતિ-પત્નીના સંબંધમાં શક બિલકુલ ન હોવો જોઇએ. કારણકે વિશ્વાસ જ આ સંબંધને સુખમય બનાવી રાખે છે. પરંતુ આવું દરેક લોકો સાથે નથી થતું. કેટલીક વખત પતિ કેટલાક કારણોથી પોતાની પત્ની પર શક કરવા લાગે છે. જેના કારણે સંબંધ તૂટી જવા સુધી પહોંચી જાય છે. ત્યારે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને બધા ચોકી ગયા છે. જ્યાં પત્ની-પત્ની વચ્ચે ઊભી થયેલી તિરાડનો ભોગ બે બાળકો બન્યાં.

તમિળનાડુમાં એક શખસને પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા થવા લાગી હતી અને તેને લાગ્યું કે, તેની પત્નીનું અન્ય લગ્નેતર પુરુષ સાથે સંબંધ છે. જેના કારણે તેને પોતાના 9 વર્ષના અને એક 5 વર્ષના બાળકોની હત્યા કરી નાખી અને આ હત્યા કરવાનો વિડીયો પણ ઉતાર્યો હતો જેને તેના સંબંધીઓને પણ મોકલી દીધો હતો. ત્યારે આ ઘટના સામે આવતા બધા સંબંધીઓ પણ ચોકી ગયા હતા.

જો કે આ તમિળનાડુના સલેમ જિલ્લાના 33 વર્ષના મુરુગનના લગ્ન મુરુગેશ્વરી સાથે થયા હતા અને તેમને બે બાળકો પણ હતા. જેમાં મોટો બાળક 9 વર્ષનો પુત્ર હતો અને 5 વર્ષની નાની દીકરી હતી. જયારે આ મુરુગન 13 વર્ષથી એક રેસ્ટોરન્ટમાં કામ કરી રહ્યો હતો.

જો કે થોડા દિવસ પહેલા મુરુગનને કામ કરતી વખતે એક અકસ્માત થયો હતો, જેના કારણે તે 10 દિવસથી ઘરે જ આરામ કરતો હતો. અને આ દરમિયાન તેને જોયું કે, તેની પત્ની અન્ય કોઈની સાથે વાત કરી રહી છે. જયારે મુરુગનને તેની પત્નીને આ માટે ટોકી તો તેને બીજા શખસ સાથે વાત કરવાનું બંધ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

ત્યારબાદ મુરુગન ગત રવિવારે સાંજે તેની પત્નીનો મોબાઈલ લઈને નજીકની દુકાને ગયો હતો અને સાથે તેના બે બાળકોને પણ લઈ ગયો હતો. અને ત્યાંથી મુરુગન તેના બે બાળકોને નજીકના એક ઝાડ પાસે લઈ ગયો હતો અને ત્યાં તેને તેના બંને બાળકોની હત્યા કરી દીધી હતી અને આ બાળકોની હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો અને પોતાના સંબંધીઓને મોકલી દીધો. અને આ વિડીયો મોકલ્યા બાદ તેને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ ઘટના સામે આવતા મુરુગનની પત્ની અને તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસને એક કેરીના ફાર્મમાંથી બે બાળકો અને મુરુગનની લાશ મળી આવી હતી. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Scroll to Top