Life Style

જેને કોરોના થઈ ગયો છે, તેમના શરીરમાં આટલા સમય સુધી ઉપ્લબ્ધ રહે છે ઈમ્યુનિટી

કોરોના વાયરસને દેશના લાખો કરોડો લોકોને સંક્રમિત કર્યા છે. ત્યારે કોરોના વાયરસને લઈને અલગ-અલગ વિશેષજ્ઞો દ્વારા અલગ-અલગ સંશોધનો કરવામાં આવે છે. કેટલાક સંશોધનો ચિંતાજનક હોય છે, તો કેટલાક સંશોધનો સારા અને ચિંતા ઓછી થાય તેવા સમાચારો લઈને પણ આવે છે.

તાજેતરમાં જ થયેલા એક અભ્યાસમાં એવો ખુલાસો થયો કે, જે લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યાં છે તેમના શરીરમાં કોવિડ વેક્સિન વગર જ એક વર્ષ સુધી એન્ટિબોડી ઉપલબ્ધ રહે છે અને તેઓની ઇમ્યુનિટી આ વાયરસ વિરૂદ્ધ મજબૂત રહે છે.

Nature વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવેલ અભ્યાસમાં સંશોધનકર્તાઓની ટીમએ 63 લોકો પર અભ્યાસ કર્યો છે. જેઓ કોવિડ ઇન્ફેક્શનથી અંદાજે 1.3 મહીને, 6 મહીને અને 12 મહીના પહેલાં બહાર આવ્યા હતાં. જેમાંથી 41 ટકા એટલે કે, 26 લોકોને ફાઇઝર-બાયોએનટેક અથવા મોડર્ન વેક્સિનનો એક ડોઝ મળ્યો હતો.

રૉકફેલર યુનિવર્સિટી અને ન્યુયોર્કની વેડન કોર્નેલ મેડિસિનની ટીમના નેતૃત્વમાં કરવામાં આવેલા સંશોધન અનુસાર, કોવિડ-19 ઇન્ફેક્શનથી સ્વસ્થ થનારા લોકોના શરીરમાં એન્ટિબોડી અને ઇમ્યુન મેમરી અંદાજે 6 મહીનાથી લઇને 1 વર્ષ સુધી બની રહી શકે છે. જો કે, SARS-CoV-2 વિરૂદ્ધ ઇમ્યુનિટીના લાંબા સમય સુધી હોવાનો સંકેત આપે છે.

અભ્યાસ અનુસાર, “કોવિડ વેક્સિનેશન વગર પણ SARS-CoV-2 વાયરસના રિસેપ્ટર બાઇડિંગ ડોમેન પ્રત્યે એન્ટીબોડી રિએક્ટિવિટી, ન્યુટ્રાલાઇઝિંગ એક્ટિવિટી અને આરબીડી-સ્પેસિફિક મેમોરી બી સેલ્સ 6 મહીનાથી લઇને 12 મહીના સુધી સ્થિર રહી શકે છે.”.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker