પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 10 મા હપ્તાની સ્થિતિ તપાસો આ રીતે

PM કિસાન સન્માન નિધિ 2021 નો ત્રીજો હપ્તો અને યોજનાની શરૂઆતથી 10 મો હપ્તો 15 ડિસેમ્બર સુધીમાં ખેડૂતોના ખાતામાં પહોંચવાની શક્યતા છે, પરંતુ લાખો ખેડૂતો એવા છે જેમના છેલ્લા હપ્તા બાકી છે.

તમારું નામ આ ખેડૂતોમાં છે કે નહીં તે જાણવા માટે, તમને ડિસેમ્બર-માર્ચનો હપ્તો મળશે કે નહીં, સૌ પ્રથમ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2021 ની નવી યાદી તપાસો. તમે ઘરે બેઠા આ ચકાસી શકો છો. તમને જણાવી દઈએ કે સરકાર ખેડૂતોને તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં સીધી જમા કરાવે છે.

આને નહીં મળે હપ્તો: આ યોજના હેઠળ સરકાર નાના અને સીમાંત ખેડૂત, જેમની પાસે 2 હેક્ટર સુધી ખેતી લાયક જમીન છે. તેમને વાર્ષિક 6000 રૂપિયાની મદદ આપે છે. પરંતુ અમુક ખેડૂત એવા પણ છે કે તેમને લઈને સરકારે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ યોજનાનો લાભ કોને નહીં આપવામાં આવે. પીએમ ખેડૂત યોજનાની ઓફિશ્યલ વેબસાઈટ પર સરકારે તેને લઈને ગાઈડલાઈન પણ જાહેર કરેલ છે.

વકીલો, ડોકટરો, સીએ વગેરે પણ આ યોજનામાંથી બહાર છે. હવે માત્ર તે જ ખેડૂતોને પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ મળશે, જેમના નામે ખેતર હશે. વર્તમાન કે ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. જો કોઈ વ્યક્તિ ખેતરનો માલિક છે, પરંતુ તેને દર મહિને 10000 રૂપિયાથી વધુ પેન્શન મળે છે, તો તે પણ આ યોજના માટે પાત્ર નથી.

શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે કિસાનોને ત્રણ હપ્તામાં 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ હપ્તો બે-બે હજાર રૂપિયાનો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ કિસાનોના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરે છે. આ યોજનામાં થતો ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરે છે.

Scroll to Top