સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

જૂનાગઢમાં આ પરિવારને ખાસ મળવા પહોંચ્યા હતા પીએમ મોદી, જાણો કેમ?

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
જૂનાગઢમાં આ પરિવારને ખાસ મળવા પહોંચ્યા હતા પીએમ મોદી, જાણો કેમ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે અને રાજ્યમાં ખાતમૂહુર્ત અને શિલાન્યાશો કરી રહ્યા છે આવામાં પીએમ મોદી જૂનાગઢમાં એક પરિવારને મળ્યા હતા. જેમને મળ્યા બાદ પીએમ મોદી ખુબ જ ખુશ થઇ ગયા હતા. પીએમ મોદી એ અહીં પઢિયાર પરિવાર સાથે મુલાકાત કરી હતી અને નારસિહ ભાઈ જેઓ હયાત નથી તેમના પરિવાર સાથે મુલાકાત કરી તેમના વિશે માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ પીઢ અને જુના જનસંઘી આગેવાન સ્વ. નારસિંહભાઈ પઢિયારના સમગ્ર પરિવારજનોને મળીને તેમની સાથે વાતચીત કરી હતી.

યોગેન્દ્રસિંહનાં પત્ની જેઓ શિક્ષકા છે અને કન્યા વિધા મંદિર, જોષીપુરા ખાતે સંસ્કૃત વિષય ભણાવે છે. તેમણે નરેન્દ્રભાઈને એક સુચન કર્યું હતું કે, નવી શિક્ષણ નીતિ ખુબ સારી છે, પણ સંસ્કૃત વિષય પ્રાથમિક ધોરણથી ફરજીયાત કરવામાં આવે તો સહુને દેવભાષાનું મહત્વ રહે. યોગીભાઈની દિકરી લેખાબા પણ સાઇકોલોજી વિષયમાં કોલેજ કરે છે. તો હસતા હસતા \”તું દરેકને તે મુજબ શિખડાવજે\” આવી વાતો સહજતાથી કરી હતી.

નારસિંહભાઈ પઢિયારનો પરિચય

નારસિંહભાઈનો જન્મ 7 ઓકટોબર 1932 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. માજ્ઞ પોતાની 13 વર્ષની ઉમરે જ સંઘના સ્વયં સેવક તરીકેની કામગીરી શરૂ કરી હતી. નરેન્દ્ર મોદી જ્યારે નારસિંહભાઈ પઢિયારના અવસાન બાદ પ્રથમ વખત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે નારસિંહભાઈને યાદ કર્યા હતા અને તેમની સાથેના કરેલી કામગીરી અને વાતો યાદ કરી હતી. તેઓ એક પાયાના કાર્યકર તરીકે પ્રધાનમંત્રી મોદી સાથે જોડાયેલા હતા.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Dumas Ramjiwadi Bungalow Raid
Gujarat

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]