PM મોદીના માતા 100 વર્ષના થવા જઈ રહ્યા છે, આ છે તેમના સ્વાસ્થ્યનું રહસ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો 18 જૂને જન્મદિવસ છે. આ સાથે જ હિરાબા તેમના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કરશે. હીરાબા મોદી 100 વર્ષના હોવા છતાં સંપૂર્ણ સ્વસ્થ છે. ખરેખર હીરાબા વર્ષોથી તેમના પુત્ર પંકજ મોદી સાથે ગાંધીનગરમાં રહે છે. હીરાબા હજુ પણ તેમના ઘરમાં કોઈ પણ આધાર વગર ચાલે છે અને ઘરના તમામ કામ જાતે જ કરે છે.

હીરાબાને સાદું ભોજન અને લાપસી ગમે છે

હીરાબાના ફૂડ વિશે વાત કરીએ તો તેઓ મોટાભાગે ઘરનું બનાવેલું ભોજન ખાય છે. તેઓ ખીચડી, દાળ, ભાત જેવી વસ્તુઓ વધુ ખાય છે. તેમને મીઠી લસ્સી ખૂબ ગમે છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના જન્મદિવસ નિમિત્તે હીરાબાના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે તેમનું મોં પણ ખાંડ અને લાપસીથી મીઠુ કરવામાં આવે છે. જ્યારે પણ વડાપ્રધાન હીરાબા સાથે ભોજન કરે છે, ત્યારે રોટલી, શાક, દાળ, ભાત અને સલાડ જેવો સાદો ખોરાક રહે છે.

કોરોના કાળમાં રસી લઈને સમાજને આપેલું ઉદાહરણ

હીરાબા ભલે 100 વર્ષના થઈ રહ્યા હોય, પરંતુ 6 મહિના પહેલા તેઓ પોતે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા શાળાએ ગયા હતા અને લોકશાહીના આ ઉત્સવમાં પોતે પણ ભાગ લીધો હતો. કોરોનાના સમયે પણ જ્યારે લોકોના દિલમાં રસીને લઈને મૂંઝવણ હતી ત્યારે તેમણે પોતે જ રસી લઈને સમાજની સામે એક દાખલો બેસાડ્યો હતો.

હીરાબાની તબિયત સામાન્ય લોકો કરતા ઘણી સારી છે

અમદાવાદના એક ડાયટિશિયન કહે છે કે 100 વર્ષની ઉંમરે પણ હીરાબાની બીમારીના કોઇ સમાચાર નથી. તેમનું સ્વાસ્થ્ય સામાન્ય લોકોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું છે. સાદો ખોરાક એ સ્વસ્થ જીવનની નિશાની છે. અને તેઓ હંમેશા સાદું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ ઘરનું રાંધેલું ભોજન. હીરાબાએ પોતાનું આખું જીવન ખૂબ જ સાદગીમાં વિતાવ્યું છે. સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે માટે હીરાબા એક ઉત્તમ ઉદાહરણ છે.

Scroll to Top