દીકરીના પ્રેમલગ્ન ના ફોટા મળતા જ વૃધ્ધ માતા-પિતા ને લાગ્યો આઘાત: ભર્યું આવું ભયંકર પગલું

પ્રેમને અત્યાચારો અને પ્રેમની વિરુદ્ધમાં માતા-પિતા હોય તેવી અનેક ઘટના તમે સાંભળી હશે પરંતુ આજે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તામિલનાડુમાં એક એવી ઘટના બની છે જેમાં માતા-પિતા દીકરીના તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ્દની વિરુદ્ધમાં હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, 65 વર્ષના પતિ અને તેમના 55 વર્ષના પત્નીએ કોઈમ્બતુરમાં આવેલ પોતાના ઘરમાં જ આવેશમાં આવીને જીવન ટુંકાવી દેવામાં આવ્યું હતું. ત્રિપુર જિલ્લાના અવિનાશી પાસે આવેલા કુન્નાથુરમાં અંતિમ પગલું ભરવામાં આવ્યું હતું. શનિવારના રોજ બનેલી ઘટનામાં 22 વર્ષની દીકરીએ પોતાના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ લગ્ન કરી લીધા હોવાની જાણ વૃદ્ધ પતિ-પત્નીને થતા જ તેમને અંતિમ પગલું ભરી લીધું હતું.

કુન્નાથુર પોલીસની તપાસમાં જાણકારી સામે આવી છે કે, “22 વર્ષની જનાની કોઈમ્બતુરમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી અને તે કુન્નાથુરના સંપથ નામના યુવકના પ્રેમમાં પડી હતી.

દીકરીના પ્રેમ પ્રકરણ વિશે માતા-પિતાને જાણ થતા જ તેમના દ્વારા આ બાબતમાં વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમણે દીકરીને આ બધી બાબતોમાં પડ્યા વગર ભણવા પર ધ્યાન આપવાની સલાહ પણ આપી હતી.

જ્યારે 2 સપ્ટેમ્બરના રોજ જનાની કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યાર બાદ તે પોતાના પ્રેમી સંપથ સાથે મંદિરમાં જઈને માતા-પિતાને જાણ કર્યા વગર જ તેને લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ જનાનીએ પોતાના લગ્નના ફોટોસ તેના પિતાને શનિવારની સાંજે વોટ્સએપ પર મોકલી દીધા હતા. જ્યારે બોરવેલની રિંગ બનાવવાનું કામ કરનાર પોન્નુસામી અને તેમના પત્ની સુમથીને આ ફોટોસ જોઇને આઘાત લાગ્યો હતો. જેના કારણે જીવન ટુકાવવાનો નિર્ણય લઇ લીધો હતો.

આ બાબતમાં લીધે વૃદ્ધ પતિ-પત્ની બીજા દિવસની સવારના તેમના ઘરમાંથી બહાર ના આવતા તેમના એક સગાને શંકા થઈ હતી. ત્યાર બાદ તેમના દ્વારા તપાસ કરવામાં આવી તો બન્ને મૃત હાલતમાં મળી આવતા હાહાકાર સર્જાઈ ગયો હતો.

કુન્નાથુર પોલીસ દ્વારા આ અંગે કેસ નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. પોતાના માતા-પિતા ના વિરુદ્ધમાં જઈને દીકરી દ્વારા લગ્ન કરી લેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમ છતાં આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Scroll to Top