પુત્રને બચાવવા માટે દાદા-દાદીએ પૌત્રીની કરાવી હત્યા, જાણો શું છે સંપૂર્ણ ઘટના….

ઉત્તર પ્રદેશમાં પોતાના પુત્રને બચાવવા માટે એના માતા-પિતા દ્વારા રચવામાં આવેલ ભયાનક કાવતરાને પોલીસ દ્વારા ખુલ્લુ પાડવામાં આવું છે. જેમાં એક આઠ વર્ષની બાળકીના હત્યારાઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલા એક ગામમાંથી આ ભયાનક ઘટના સામે આવી છે. જેમાં પુત્રને ગંભીર આરોપોથી બચાવવા માટે દાદા-દાદી દ્વારા પોતાની આઠ વર્ષની પૌત્રીની જ હત્યા કરી નાખવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, દાદા-દાદી મૃતક બાળકીના કાકા અને પોતાના પુત્ર પર છેડતી અને દુષ્કર્મના આરોપ લગાવાનારાને ફસાવવા આ કાવતરુ રચવામાં આવ્યું હતું. પોતાની જ પૌત્રીની હત્યા કરી તેમણે ફરિયાદી પર હત્યાના આરોપ લગાવી દેવામાં આવ્યો હતો. તેમ છતાં પોલીસ દ્વારા સધન કાર્યવાહી હાથ ધરવામાં આવતા હત્યારા દાદા-દાદીનો ભાંડો ફોડી નાખવામાં આવ્યો હતો.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ગામની શાળામાં અભ્યાસ કરનારી આઠ વર્ષની બાળકી ગુમ થઇ ગઈ હતી અને સોમવારના ગામના એક ખેતરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ હત્યાની જાણકારી પણ મૃતકની દાદી દ્વારા જ પોલીસને કરવામાં આવી હતી. તેમણે પોલીસને કહ્યું હતું કે, ઢોરોનો ચારો લેવા જતા સમયે બાળકીની સ્કુલ બેગ અને ચપ્પલ ખેતર પાસે પડ્યા હતા.

ત્યાર બાદ ગ્રામવાસીઓની મદદથી બાળકીની શોધ શરુ કરવામાં આવી હતી. એવામાં બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી ગયો હતો. પોલીસ દ્વારા સખ્ત તપાસ કરવામાં આવતા બે દિવસ સુધી ગામના અનેક લોકોની અને બાળકીની શાળામાં પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મોટો ખુલાસો થયો હતો કે, બાળકીના દાદા-દાદીને જ ઘટના સમયે ખેતર તરફ જતા જોવામાં આવ્યા હતા.

ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતકના દાદા-દાદીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન બંનેના નિવેદન અલગ-અલગ સામે આવ્યા હતા. જેમાં એક સમય એવો પણ આવ્યો હતો કે, પોલીસની કડક પૂછપરછ સામે દાદા-દાદી તૂટી ગયા અને હત્યાની કબૂલાત કરતાં કહ્યું હતું કે, પૌત્રીના કાકા પર ગામના એક યુવક દ્વારા દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે કોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે. જ્યારે કેસ કરનારાને ફસાવવા માટે તેમણે પૌત્રીની હત્યા કરી આરોપ તેના પર નાંખવાનું કાવતરુ રચ્યું હતું.

Scroll to Top