પુત્રવધૂ સહિત ચાર લોકોની હત્યા કરનાર સસરાએ જેલમાં જ કરી લીધી આત્મહત્યા

રાજેન્દ્ર પાર્ક વિસ્તારથી એક આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવે છે. જેમાં ૪ હત્યાના મુખ્ય આરોપી દ્વારા આત્મહત્યા કરવામાં આવતા ચકચાર મચી ગયો છે. કેમકે જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે તે ચાર હત્યાનો મુખ્ય આરોપી હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં 4 હત્યાના મુખ્ય આરોપી નિવૃત્ત આર્મીમેન રાવ રાય સિંહ દ્વારા ભોંડસી જેલમાં આત્મહત્યા કરી લેવામાં આવી છે. તેનો મૃતદેહ મંગળવારના સવારે ભોંડસી જેલના બેરેક નંબર 3 ના બાથરૂમમાંથી મળી આવેલ છે. આ કેસમાં મેજિસ્ટ્રેટ તપાસ ચાલુ કરવામાં આવી છે. આ કેસ મંગળવારના સવારે 6.30 વાગ્યે ભોંડસી જેલમાં સામે આવ્યો હતો.

મંગળવારની સવારે 6.30 વાગ્યાની આજુબાજુ કેદીઓની ગણતરી દરમિયાન જેલ સ્ટાફ દ્વારા જોવામાં આવ્યું કે, બેરેક નંબર 3 માં બંધ કેદી રાવ રાય સિંહ જોવા મળી રહ્યા નથી. તેમ છતાં બાદમાં તપાસ કરતા જોયું તો તેનો મૃતદેહ મળ્યો હતો.

જ્યારે આ બાબતમાં અધિકારીઓને આ અંગે જાણ કર્યા બાદ મૃતદેહ નીચે લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડોકટરોને બોલાવવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી ત્યાં સુધી અંડર ટ્રાયલ કેદીનું મૃત્યુ થઈ ગયું હતું. આ બાબતની જાણ સેશન્સ જજ અને પોલીસ સ્ટેશનને કરાઈ હતી. તેના પછી કેસમાં મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે અધિકારીઓની હાજરીમાં બેરેકની તલાશીકરવામાં આવી તો ત્યાંથી કેદીની નોટબુક પણ મળી આવી હતી, જેમાં તેણે અનેક વાતો લખી હતી.

જ્યારે મૃતક કેદી દ્વારા 23 ઓગસ્ટની રાત્રે રાજેન્દ્ર પાર્ક વિસ્તારમાં તેમના ઘરમાં પુત્રવધૂ સુનીતા યાદવ, ભાડૂઆત કૃષ્ણકુમાર તિવારી, કૃષ્ણની પત્ની અનામિકા, પુત્રી સુરભી અને વિધી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં વિધીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યારે બાકીના બધા મૃત્યુ થઈ ગયા હતા. હત્યા બાદ તે પોતે હથિયાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી આવ્યો હતો. ચાર હત્યાના કારણે રાજેન્દ્ર પાર્ક પોલીસ દ્વારા આરોપી સામે એફઆઈઆર નોંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

આ બાબતની તપાસ માટે SIT ની રચના પણ કરવામાં આવી હતી, જેણે રાવ રાય સિંહ અને તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી હતી. તે સમય દરમિયાન આરોપીની પુત્રવધૂ અને ભાડૂઆતના પરિવાર તરફથી સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે, આ કેસમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે જેથી આ માટે કેસમાં સીબીઆઈ તપાસ થવી જરૂરી છે. પરિવાર દ્વારા આ કેસને લઈને ધરણા પણ કરવામાં આવ્યા હતા.

Scroll to Top