Life StyleReligious

આ ગાય છે સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ, ઘરે આવતા જ વેપારી બની ગયા કરોડપતિ

રાજસ્થાનના જાલોરમાં રહેતા વેપારી નરેન્દ્ર પુરોહિત ઘણા વર્ષોથી ગૌશાળા સાથે સંકળાયેલા હતા. જ્યાં તે ગાયોની દેખભાળમાં સહયોગ આપતા હતા. એક દિવસ નરેન્દ્ર પુરોહિતે શ્રી દંતશારાનંદ મહારાજના આદેશથી એક નાની બે વર્ષની વાછરડીને દત્તક લીધી અને તેને પોતાના ઘરે લાવીને તેનું નામ રાધા રાખ્યું હતું.

પુરોહિતે કહ્યું, “ગાય અમારા ઘરમાં આવતાની સાથે જ ધંધો વધી ગયો હતો. પહેલા કરતાં બધું સારું લાગતું હતું. આ પછી આખો પરિવાર રાધાનો ભક્ત બન્યો અને રાધા તેમના પરિવારનો મહત્વનો ભાગ બની ગઈ. રાધાને ભોજનમાં દેશી ઘી થી બનેલા લાડુ અપાય છે. ક્યારેક તેને સૂકો ચારો આપવામાં આવે છે. રાધાને બંગલાની અંદર પરિવાર સાથે ખાવાનું ગમે છે.”

બિઝનેસમેન નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે, “બે વર્ષ પહેલા જાલોરમાં એક કરોડ રૂપિયા ખર્ચીને બંગલો બનાવવામાં આવ્યો હતો. તેમાં રાધા માટે એક ખાસ જગ્યા રાખવામાં આવી હતી. તે બંગલાના દરેક રૂમમાં ફરે છે. તે જ્યાં ગમે ત્યાં બેસે છે. આખો પરિવાર અને સભ્યો દિવસ-રાત તેમની સેવા કરે છે, સવાર-સાંજ તેમની પૂજા કરે છે અને આરતી કરે છે.

રાધા 10 લિટર દૂધ આપે છે, ઘરમાં માત્ર અઢી લિટર જ વપરાય છે

પુરોહિત કહે છે, “અહીં આવ્યા પછી રાધાને ત્રણ વાછરડાં હતાં. અમે તેમનાં નામ મીરા, સોમા અને ગોપી રાખ્યાં છે. રાધા રોજ 10 લિટર દૂધ આપે છે, જેમાંથી માત્ર અઢી લિટર જ વપરાય છે અને બાકીનું તેના વાછરડાં માટે છોડી દેવામાં આવે છે.”

રાધાના આગમન પછી બિઝનેસ વધવા લાગ્યો

નરેન્દ્ર પુરોહિત મુંબઈમાં BMCમાં કોન્ટ્રાક્ટર છે. તેમની પાસે ઈલેક્ટ્રિક ટુ વ્હિકલ બનાવવાનો બિઝનેસ છે. નરેન્દ્ર કહે છે કે તેમને બાળપણથી જ ગાયો પાળવાનો શોખ હતો. જ્યારે તે રાધાને ઘરે લાવ્યા તો ધંધો ઘણો વધી ગયો.

રાધાની સુરક્ષા માટે બંગલામાં સીસીટીવી

રાધાની સુરક્ષા માટે બંગાળમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. નરેન્દ્ર પુરોહિતે જણાવ્યું કે એક વખત રાધાજી ખૂબ જ બીમાર થઈ ગઈ હતી. ઘણી જગ્યાએ તેની સારવાર પણ કરવામાં આવી હતી, પરંતુ તેના બચવાની શક્યતાઓ ઘણી ઓછી હતી. તે સમયે તેમણે વિચાર્યું કે જો રાધાને કંઈ થશે તો તે બધી ગાયોને છોડી દેશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker