રાજકોટમાં પશુ પર માણસ જાતનો અત્યાચાર, ત્રણ ગાયોને ધારદાર હથિયારના ઘા ઝિંકી કરી લોહીલુહાણ- લોકોમાં ફેલાયો રોષ

આપણે વારંવાર મૂગા પશુઓના અત્યાચારનો ઘણા કિસ્સાઓ સામે આવતા જોયા છે, જે અબોલા પશુઓ પર અત્યાચાર છે. ત્યારે આવા અમાનવિય અત્યાચારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે શહેરમાં રખડતાં ક્યાંક કૂતરા તો ક્યાંક અન્ય પશુ પર માણસ દ્વારા અત્યાચાર કરતા હોવાનું સામે આવતું રહે છે.

ત્યારે આજે રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ ગાયો પર કેટલાક કૃર શખ્સો દ્વારા ક્રૂરતા આચરવામાં આવી છે. જે આ ત્રણ ગયોને ધારદાર હથિયારના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેવામાં આવી છે ત્યારે આ કુર અત્યાચારને લઈને ત્યાંના સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થાનિક લોકોએ તાત્કાલિક આવા શખ્સો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
.
જો કે આ કુર અત્યાચારની ઘટનાની જાણ થતા ત્યાં ના હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે આ ભગવતીપરા વિસ્તારમાં રહેતા જીવદયા પ્રેમી નારણભાઈએ જણાવ્યું હતું કે ગઈકાલ મોડી રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા 3 જેટલી ગાય ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લોહીલુહાણ કરવામાં આવી હતી.

ત્યારે આ મામલે તેમને સવારના સમયે જાણ થતા તેમને પોલીસ અને પશુ ડોક્ટરને તાત્કાલિક જાણ કરી હતી અને આ ત્રણ ગાયોને સારવાર અપાવવામાં આવી હતી. જો કે આ ઘટનાની જાણ પોલીસને કરતા બી ડિવિઝન પોલીસ મથક સ્થાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને જીવદયા પ્રેમી તેમજ આસપાસના વિસ્તારના લોકોના નિવેદન નોંધી હુમલો કોને અને શા માટે કર્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Scroll to Top