રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આશ્વર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. માતાના પ્રેમી ઉપર સગીર દ્વારા છરીથી ખુની હુમલો કર્યા હોવાનું ઘટના સામે આવી છે. જ્યારે સમગ્ર મુદ્દે પોલીસની ટીમ દ્વારા ખુની હુમલો કરનાર સગીરને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જાણકારી અનુસાર, શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બુદ્ધ નગરમાં રહેનાર એક સગીર દ્વારા પોતાની માતા સાથે પ્રેમ સંબંધ ધરાવનાર ભરતભાઈ કેશુભાઈ ચૌહાણ નામના વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે.
તેની સાથે આ સમગ્ર બાબતની જાણ થતા જ સાપર વેરાવળ પોલીસના પીએસઆઇ કુલદીપ સિંહ ગોહિલ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી સમાપ્ત કર્યા બાદ આરોપી સગીર વિરૂદ્ધ આઈપીસીની કલમ 307 તેમજ 323 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જ્યારે આરોપી સમક્ષ ગુનો નોંધી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેના અંતર્ગત આરોપી ઝડપાઇ ગયો હતો અને અત્યારે તેને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ બાબતમાં સાપર વેરાવળ પોલીસ દ્વારા પીડિત ભરત કેશુભાઈ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેની સાથે જ ભરત જેની સાથે પ્રેમમાં હતો તે આરોપીની માતાની પૂછપરછ પણ કરાઈ રહી છે. જ્યારે આરોપીની પૂછપરછ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટના મામલે સત્ય શું છે તે સ્પષ્ટ થશે.
તેમ છતાં હજુ એ જાણવા મળ્યું નથી કે, સગીરને પોતાની જ માતાના પ્રેમીને જાનથી મારી નાખવાનો વિચાર કેમ આવ્યો. સગીર આરોપી અને પીડિત વચ્ચે કોઈ મુદ્દે મનદુઃખ ચાલી રહ્યું હતું કે, કેમ તે સહિતની બાબતો અંગે હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે. જ્યારે પીડિતને પેટમાં તથા જમણા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અત્યારે તેને રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.