રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મેટોડા જીઆઇડીસીના ગેટ પાસે ગત 4 ઓગસ્ટના રોજ Honda Amaze કાર અને એસટી બસ વચ્ચે ભયંકર અકસ્માત થયો તો. કારમાં સવાર પાંચ પૈકી ત્રણ ભાવિ તબીબોના મૃત્યુ ઘટનાસ્થળ પર જ થઈ ગયું હતું. તેની સાથે બે જેટલા ભાવિ તબીબોને ગંભીર ઈજા પહોંચતા રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે ટૂંકી સારવાર દરમિયાન સિમરન ગિલાણી નામની યુવતીનું હોસ્પિટલમાં 4 ઓગસ્ટના રોજ મોત થયું હતું. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલી કૃપાલી ગજ્જર નામની યુવતીનું મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. આ રીતે માત્ર 6 દિવસના સમયગાળા દરમિયાન 5 જેટલા ભાવિ તબીબોએ અકસ્માતના કારણે કરુણ મોત થયું છે.
ઘટના અંગે વાત કરવામાં આવે તો ગત 4 થી ઓગસ્ટના રોજ પારુલ યુનિવર્સિટી સંચાલિત હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખીરસરા ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતાં. મુલાકાત પૂર્ણ થયા બાદ તમામ લોકોએ ગ્રુપ ફોટો પણ ક્લિક કર્યો હતો. પરંતુ ત્યારે એક પણ વ્યક્તિને ખ્યાલ નહોતો કે તેમનો આ આખરી ગ્રુપ ફોટોસ હશે.
નોંધનીય છે કે, હોન્ડા અમેઝ કારમાં નિશાંત દાવડા, સિમરન ગિલાણી, ફોરમ અને આદર્શ અને કૃપાલી જઈ રહ્યા હતા. હોન્ડા અમેઝ કાર નિશાંત દાવડા ચલાવી રહ્યો હતો. આ દરમિયાન કોઈ કારણોસર નિશાંત દાવડા સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર રોંગ સાઈડમાં ચાલી ગઈ હતી. જ્યારે સામે આવી રહેલી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે, તેના કારણે તે એસટી બસના આગળના ભાગમાં ઘુસી ગઈ હતી.
આ કારણોસર ઘટના સ્થળ પર જ નિશાંત દાવડા, ફોરમ તેમજ આદર્શ ગોસ્વામીના મોત થઈ ગયું હતું. તેમ છતાં સમગ્ર ઘટનામાં ઈજા પામેલ સિમરન અને કૃપાલીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ મૃતકોએ કોરોનામા અનેક લોકોના જીવ બચાવ્યા હતા. સમગ્ર મામલમાં લોધીકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. જ્યારે પોલીસ તપાસમાં તમામ મૃતકોએ કોરોના સામેની લડતમાં 6 મહિના સુધી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી હોવાનું જાણવા મળ્યું છે.