સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

રાજકોટમાં આગની દુર્ઘટનાને 24 કલાક, 32 જીવતા ભૂંજાયા; વાંચો A to Z અપડેટ

M

MT Online Correspondent

3 મિનિટ વાંચો
શેર કરો:
રાજકોટમાં આગની દુર્ઘટનાને 24 કલાક, 32 જીવતા ભૂંજાયા; વાંચો A to Z અપડેટ

Rajkot Game Zone Fire: રાજકોટ શહેરમાં આવેલા TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટનાને 24 કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 32એ પહોંચી ગયો છે. હાલ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટનામાં મૃતકો એવી રીતે બળીને ભડથું થઈ ગયા છે કે, તેમના ચહેરા ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. આવા સમયે હવે DNAની મદદથી મૃતદેહોને ઓળખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટની આગ દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પિતાએ ધમકીભર્યું નિવેદન આપ્યું છે. દીકરા સહિત પાંચ સ્વજનોને ગુમાવનારા પરિવારના મોભી પ્રદિપસિંહ ચૌહાણે કહ્યુ છે કે, જો એમને સજા મળે તે પહેલાં જામીન મળી જશે તો હું તેમને જાનથી મારી નાંખીશ. આ ઉપરાંત તેમણે વકીલોને પણ આરોપીઓ તરફથી આ કેસ ન લડવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત કેસની ફી હોય છે તેના કરતાં 2 લાખ વધુ આપશે તેવું પણ જણાવ્યું છે.

રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં આવેલા આંકડા પ્રમાણે 32 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે. તેમાં 9 જેટલા બાળકો પણ સામેલ છે. આ જ ગેમઝોનના ઉદ્ઘાટનની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં રાજકોટના તત્કાલિન કલેક્ટર અરુણ બાબુ, તત્કાલિન પોલીસ કમિશનર બલરામ મીણા, તત્કાલિન મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરા, તત્કાલિન ડીસીપી ઝોન-1 પ્રવિણ મીણા સહિતના અધિકારીઓ દેખાઈ રહ્યા છે. આજથી બે વર્ષ પહેલાં એટલે કે 22મી માર્ચ, 2022ના દિવસે તેમણે આ ગેમઝોનના ઉદ્ઘાટન પ્રસંગમાં સામેલ થયા હતા. ત્યારે સવાલ એ થાય છે કે, આ અધિકારીઓને આટલી ગંભીર બેદરકારી દેખાઈ નહોતી કે પછી સત્તામાં મદમસ્ત બનેલા હાથીની માફક આંખ આડા કાન કરી લીધા હતા. આવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.

રાજકોટ અગ્નિકાંડના જવાબદાર ગુનેગારો સામે આખરે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કુલ 6 આરોપીઓની સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોનના માલિક અને ભાગીદાર મળી કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગેમઝોનના માલિક પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, ભાગીદાર અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. 6 આરોપી અલગ અલગ હિસ્સાના નફાના ભાગીદાર હતા. TRP ગેમઝોનની જગ્યા ધવલ કોર્પોરેશન નામથી રજિસ્ટર કરવામાં આવી હતી. IPCની કલમ 304, 337, 338 અને 114 મુજબ ગુનો નોધવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ એસીપી વિનાયક પટેલ કરી રહ્યા છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Dumas Ramjiwadi Bungalow Raid
Gujarat

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]