રાજકોટમાં યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત

રાજકોટ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. ચાર મહિના પૂર્વે આણંદથી રાજકોટ રહેવા આવેલા 24 વર્ષના યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રૈયા ગામમાં આવેલી અંજલી ડેરી પાસે ચિરાગભાઈ દિનેશભાઈ તેરૈયાના મકાનમાં ભાડે રહેનાર આકાશ દિનેશભાઈ મકવાણા નામના 24 વર્ષીય યુવાને ગળાફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવાન દ્વારા પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આકાશ મૂળ આણંદનો રહેવાસી હતો અને તે છેલ્લા ચાર મહિનાથી રાજકોટ રૈયા ગામ ખાતે માતા અને બહેન સાથે રહી કડિયા કામ કરી ગુજરાન ચલાવતો હતો. ગઈકાલના મૃતક આકાશના માતા આણંદ ગયેલા હતા અને બહેન પણ બહાર ગઈ હતી આ દરમિયાન આણંદથી તેની માતાએ તેને ફોન પણ કર્યો હતો. પરંતુ તેને ફોન રિસીવ ન કરતા માતાને કંઈક અજુગતું ઘટયું હોવાનું જાણ થઈ ગઈ હતી.

જેના કારણે તેના માલ મકાન માલિકને ફોન કરીને આકાશની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. જો મામલે મકાન માલિકે જ્યારે રૂમમાં જોયું તો આકાશની લાશ દોરડું બાંધેલી હાલતમાં લટકાયેલી હતી. તે સમગ્ર મામલે મકાન માલિક દ્વારા 108 ને જાણ કરતા તાત્કાલિક અસરથી 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ત્યારબાદ 108 ની ટીમ દ્વારા આકાશની નીચે ઉતારી તપાસવામાં આવતાં તેને મૃત જાહેર કરાયો હતો. તેમજ સમગ્ર બાબતની જાણ કંટ્રોલ મારફતે યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અજય સિંહ ચુડાસમા તેમજ રાકેશભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામા કરીને કાર્યવાહી પૂર્ણ કરી હતી. તેમજ કાર્યવાહી પૂર્ણ થતા લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આકાશ આણંદની એક યુવતીના પ્રેમમાં હતો પરંતુ યુવતી તરફથી કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નહોતો જેના કારણે તે શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ કારણે તેણે આ પ્રકારનું આપઘાત કરવાનો નિર્ણય લઇ લીધો હતો.

Scroll to Top