રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મહત્વનું છે કે પહેલા 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે.
નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને આનો ફાયદો મળશે. સપ્ટેમ્બર મહિનાથી રાજ્યસરકાર વધેલા મોંઘવારી ભથ્થા સાથે પગાર કરશે. તેમજ જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરાતા હવે કુલ 28 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે સરકાર પર દર મહિને 378 કરોડનો વધારાનો બોજો પડશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.