RBIએ જાહેર કર્યા નવા નિયમો!, નિયમોની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

આરબીઆઈએ નોન-બેંકિંગ ફાઈનાન્સ એટલે કે એનબીએફસી કંપનીઓ માટે કડક નિયમો જારી કર્યા છે. આ નિયમો લાગુ થયા બાદ સ્પષ્ટપણે જાણી શકાશે કે NFBC કંપનીની સ્થિતિ કેવી છે. ઈન પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) નિયમોના અમલ પછી, NBFC કંપનીનું 3 અલગ-અલગ પરિમાણો પર પરીક્ષણ કરવામાં આવશે. ચાલો તેના વિશે જાણીએ.

આ નિયમ અનુસાર, હવે પ્રથમ પરિમાણમાં નિષ્ફળ થયા પછી, રિઝર્વ બેંક NBFCsના ડિવિડન્ડ વિતરણને રોકી શકે છે. આટલું જ નહીં RBI દ્વારા પ્રમોટર્સને પણ પૈસા મૂકવા માટે કહી શકાય છે. તે જ સમયે, બીજા પરિમાણમાં નિષ્ફળ થવા પર, આરબીઆઈ કંપનીને નવી શાખાઓ ખોલવા પર પ્રતિબંધ મૂકી શકે છે અને વ્યવસાયના વિસ્તરણને પણ રોકી શકે છે. તે જ સમયે, ત્રીજા પરિમાણમાં નિષ્ફળ થયા પછી, રિઝર્વ બેંક જ્યાં સુધી NBFC કંપનીની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી વ્યવસાય બંધ કરી શકે છે.

નિયમો ક્યારે અમલમાં આવશે?
તમને જણાવી દઈએ કે નવા નિયમોના અમલ પછી, રિઝર્વ બેંક NBFC કંપનીને PCAની શ્રેણીમાંથી ત્યારે જ બહાર કરશે જો તેને લાગે કે કંપની બિઝનેસ કરવા માટે યોગ્ય છે. આ નવા અને કડક નિયમો આ વર્ષે ઓક્ટોબરથી લાગુ થશે. નિષ્ણાતોનું માનવું છે કે રિઝર્વ બેન્કના આ પગલાથી NGFC સેક્ટરની સ્થિતિમાં સુધારો થશે.

નિષ્ણાતો પણ માને છે કે આ નિયમો સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે. હકીકતમાં, છેલ્લા 3 વર્ષમાં 4 મોટી NBFC કંપનીઓમાં ઘણી ગેરરીતિઓ સામે આવી છે. આ નિયમ લાગુ થયા બાદ આ સેક્ટરમાં સુધારો થવાની આશા છે. આરબીઆઈએ પણ આ જ અપેક્ષા સાથે આ નિયમો જારી કર્યા છે.

Scroll to Top