આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું , જયશંકરે આપ્યો PM મોદીનો સંદેશ
ભારતે પ્રજાસત્તાક દિવસ 2023 ની ભવ્ય ઉજવણી માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિ ફત્તાહ અલ-સીસીને આમંત્રણ મોકલ્યું છે. 2014થી ઇજિપ્તનું પ્રમુખપદ સંભાળી રહેલા અલ સીસીને મોકલવામાં આવેલા આ આમંત્રણને આફ્રિકા અને આરબ વિશ્વ બંનેમાં ભારતની સમાન પહોંચ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ભારત-ઈજિપ્તના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે
આ વર્ષે બંને દેશોએ રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે જ સમયે, ભારત ઇજિપ્ત સાથે તેના રાજકીય અને સૈન્ય સંબંધોને સતત વધારી રહ્યું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને નવી દિલ્હીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને 2023ના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ બનવા માટે આમંત્રણ પત્ર મોકલ્યો છે.
Honoured to call on President Abdel Fattah El-Sisi of Egypt.
Conveyed the warm greetings of PM @narendramodi and handed over a personal message. pic.twitter.com/JdqS2BBbxX
— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 16, 2022
ઇજિપ્તનું મહત્વ
ઇજિપ્ત એ આરબ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ સાથે ઇજિપ્ત આફ્રિકાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ છે. આવી સ્થિતિમાં, રાષ્ટ્રપતિ અલ સીસી માટે રેડ કાર્પેટ બિછાવે છે તે સૂચવે છે કે આગામી વર્ષોમાં દિલ્હી-કૈરો સંબંધો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આવતા વર્ષે યોજાનારી G-20 સમિટ માટે જે દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં ઉત્તર આફ્રિકાનો આ દેશ પણ સામેલ છે.
થોડા સમય પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઇજિપ્તની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અલ-સીસીને મળ્યા હતા. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક ખાસ સંદેશ આપ્યો હતો.
આ બીજી વખત છે જ્યારે મોદી સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આફ્રિકન દેશના નેતાને આમંત્રણ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત આફ્રિકા સાથે સંબંધો વધારવા ઉત્સુક છે.