ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ કરાયું જાહેર, આટલા ટકા આવ્યું રિઝલ્ટ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયંકર સાબિત થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તેમ છતાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સવારના 8 વાગ્યાથી બોર્ડના અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાંખીને પરિણામ જોઈ શકશે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ પણ મોકલાવવામાં આવશે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યનું 27.83 ટકા પરિણામ જાહેર કરાયું છે. જેમાં કુલ 1 લાખ 14 હજાર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જ્યારે આ જેમાં 31,785 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

તેની સાથે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મુજબ જુલાઈ મહિનામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. તેની સાથે 15 જુલાઈથી 28 જુલાઈ સુધી ધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા ચાલી રહી હતી તે જ દરમિયાન બોર્ડ દ્વારા ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવાયું હતું.

ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર 15 ટકા જ પરિણામ સામે આવ્યું હતું. 12 સાયન્સના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં હતી. જેમાં માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની રહેલા છે. A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા અપાઈ હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થયા છે.

Scroll to Top