કોરોનાની બીજી લહેર હાલ ભારત માટે ઘણીજ ઘાતક સાબિત થઈ છે કારણકે હવે દર્દીઓને એમ્બ્યુલન્સ નથી મળી રહી, હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા ઉપરાંત ઓક્સિજનના અભાવે લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે આવા સમયે ભારતનો સૌથી જૂનો મિત્ર દેશ રશિયા આગળા આવ્યો અને તેણે ભારતને મદદકરવાનું શરૂ કરી દીધું છે.
વડાપ્રધાન મોદીએ આભાર માન્યો
રશિયાએ પહેલા 20 જેટલા ઓક્સિજન પ્રોડશન યુનિટ મોકલ્યા, 75 વેન્ટિલેટર, 150થી વધું મેડિકલ મોનિટર્સ મોકલ્યા સાથેજ 1,90,000 કરકા વધારે દવાના પેકેટ્સ મોકલ્યા છે. જે મામલે વડાપ્રધાન મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેનો આભાર માન્યો છે.
વેક્સિનનું ઉત્પાદન વધસે
આ સમયગાળામાં વડાપ્રધાન મોદી અને પુતીને કોરોનાની સામે સ્પુતનિક વી વેક્સિનાના ભારતના રજિસ્ટ્રેશન નિર્ણયને આવકાર્યો છે રશિયા દ્વારા અગાઉ 850 મિલિયયન વેક્સિનના ડોઝનું ઉત્પાદન ભારતમાં કરવા માટે કરાર કરવામાં આવ્યો છે. જે મુદ્દે બંને નેતાઓએ ટેલીફોનીક વાતચીત કરી હતી. જેમા બંને નેતાઓએ સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
વેક્સિન કંપનીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી
સમગ્ર મામલે સ્પુતનિક વી વેક્સિન બનાવતી કંપની ગેમેલેયા ઈન્સ્ટિટ્યૂટ દ્નારા પણ ટ્વીટ કરવામાં આવી. જેમા કંપીની દ્વારા ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી બંને નેતાઓ દ્વારા કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતી પર ચર્તા કરવામાં આવી દેમા રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા સહાનુભુતી આપવામાં આ સાથેજ તેઓ તેમની સાથે છે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો.
બંને દેશોના કોરોના સામે લડવા પુરતા પ્રયાસ
રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખાતરી આપવામાં આવી કે રશિયામાં સબંધોમાં શક્ય તેટલો બધોજ સાથ સહકાર આપશે જેથી વડાપ્રધાન મોદી દ્વારા પણ તેમનો આભાર માનવામાં આવ્યો હતો જોકે રશિયા દ્વારા જે રીતે ભારતની મદદ કરવામાં આવી છે તેના પરથી બંને દેશોની મિત્રતા વર્ષો જૂની છે તે સાબિત થઈ રહ્યું છે સાથેજ બંને દેશો કોરોના સામે લડવા માટે શક્ય તેટલા બનતા પ્રયાસો કરી રહ્યા છે.
લોકોમાં ડરનો માહોલ
ઉલ્લેખનીય છે. કે હાલ ભારતમાં કોરોનાને કારણે ખુબજ ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે. જેમા ખાસ કરીને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યો જેના કારણે તેમના મોત થઈ રહ્યા છે. ઉપરાંત દિવસેને દિવસે કોરાનાનું સંક્રમણ ઘટવાને જગ્યાએ વધી રહ્યું છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.