“સમીર વાનખેડે એક સરકારી અધિકારી છે અને કોઈ પણ તેના કામની સમીક્ષા કરી શકે છે” હાઈકોર્ટે

સમીર વાનખેડે સરકારી અધિકારી છે અને કોઈ પણ તેમની કામગીરીની સમીક્ષા કરી શકે છે. બુધવારે બોમ્બે હાઈકોર્ટે એનસીપીનેતા નવાબ મલિક સામે વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ મલિક પાસેથી 1.25 કરોડ રૂપિયાની વળતર રકમ અને ભવિષ્યમાં વાનખેડે પરિવાર સામે કોઈ બનાવટી અથવા ખોટી ટિપ્પણી ન કરે તે માટે કોર્ટ પાસેથી આદેશ માંગ્યો છે..

તેમાંથી એક પર સરકારી નોકરી મેળવવા માટે જન્મપ્રમાણપત્રો બનાવવાનો આરોપ છે. સુનાવણી દરમિયાન, ધ્યાનદેવ વાનખેડેના એડવોકેટ અરશદ શેખે સવાલ કર્યો હતો કે સમીર ને કોઈ એવા વ્યક્તિએ શા માટે સમજાવવું જોઈએ કે જે “માત્ર ધારાસભ્ય છે અને કોર્ટ નહીં.” આ અંગે જસ્ટિસ માધવ જામદારે કહ્યું હતું કે ‘તમે સરકારી અધિકારી છો. તમારે ફક્ત એટલું જ સાબિત કરવાનું છે કે મલિક દ્વારા કરાયેલા ટ્વીટ્સ પ્રથમ દૃષ્ટિએ ખોટા છે. તમારો દીકરો માત્ર એક વ્યક્તિ નથી, તે સરકારી અધિકારી છે અને જનતાનો કોઈ પણ સભ્ય તેની સમીક્ષા કરી શકે છે. ‘

બીજી તરફ કોર્ટે મલિકના વકીલ અતુલ દામલેને સવાલ કર્યો હતો કે, ‘શું રજૂ કરતા પહેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની તમારી જવાબદારી નથી? શું તમે જવાબદારી નાગરિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રવક્તા તરીકે દસ્તાવેજોની ચકાસણી કરી હતી?’ વાનખેડેના વકીલે મલિકના આરોપો ખોટા સાબિત કરવા માટે વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. કોર્ટે તેમને શુક્રવાર સુધીનો સમય આપ્યો હતો અને એનસીપી નેતાના વકીલને આ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું કે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરતા પહેલા દસ્તાવેજો ચકાસ્યા હતા. કોર્ટે આ કેસમાં સુનાવણીની આગામી તારીખ 12 નવેમ્બર નક્કી કરી છે.

Scroll to Top