બલિનો બકરો બનીને રહી ગયો આ વ્યક્તિ? સિદ્ધુ મુસેવાલ કેસમાં પોલીસે મોટી ભૂલ તો નથી કરીને?

સિદ્ધુ મૂસેવાલાની હત્યા માટે ધરપકડ કરાયેલા સંતોષ જાધવે દાવો કર્યો છે કે સિદ્ધુ મૂસેવાલાના મૃત્યુના દિવસે તે પંજાબમાં નહોતો. હત્યાના દિવસે તે ગુજરાતના મુદ્રા પોર્ટ પાસેની હોટલમાં રોકાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સંતોષ જાધવે પુણે પોલીસને કહ્યું છે કે તે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામેલ નથી.

જાધવે કહ્યું છે કે તેને હત્યાના કેસમાં માત્ર બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંતોષે જણાવ્યું છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યાના 3 દિવસ પહેલાથી 29 મે સુધી તે ગુજરાતની આ હોટલમાં રોકાયો હતો. જ્યારે પંજાબ પોલીસે તેનો ફોટો જાહેર કર્યો ત્યારે પકડાઈ જવાનો ડર તેને સતાવવા લાગ્યો. જે બાદ તેણે પોતાના માથાના વાળ કપાવી નાખ્યા અને દાઢી પણ કાઢી નાખી.

સંતોષના કહેવા પ્રમાણે તે નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ પોલીસની હિલચાલ વધતી જોઈ તેણે ભુજમાં રહેતા મિત્રનો સંપર્ક કર્યો હતો. મિત્રે સંતોષના રહેવા, ખાવા પીવાની તમામ વ્યવસ્થા કરી આપી. સંતોષના દાવાની પુષ્ટિ કરવા પુણે પોલીસની એક ટીમ ગુજરાત ગઈ છે, જ્યાંથી સીસીટીવી ફૂટેજ પણ લેવામાં આવશે.

બીજી તરફ પુણે પોલીસને સંતોષ જાધવ પાસેથી 13 હથિયારો મળ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે આ 13 હથિયારો મધ્યપ્રદેશના તેના બે સાગરિતો પાસેથી મેળવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ હથિયારો એ જ સમયે ખરીદવામાં આવ્યા હતા જ્યારે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. હવે મહારાષ્ટ્ર પોલીસ આ હથિયારોનું બેલેસ્ટિક ટેસ્ટ કરશે જેથી જાણી શકાય કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં આ હથિયારોનો ઉપયોગ થયો હતો કે નહીં.

Scroll to Top