“જય કસ્ટભંજન દેવ ” 40 કરોડના ખર્ચે સાળંગપુરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય, એકસાથે હજારો લોકો લઇ શકશે પ્રસાદ

શ્રીકષ્ટભંજનદેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યું છે. તેને લઈને સમાચાર સામે આવ્યા છે. તો આવો જાણીએ આ સૌથી મોટા ભોજનાલયમાં ખાસ શું છે. આ સાત વીઘા જમીનમાં બનતા આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થયા બાદ શ્રદ્ધાળુઓને પ્રસાદ માટે લાઈનો લગાવવી પડશે નહીં.

આ ભોજનાલયની વાત કરવામાં આવે તો તેમાં ગેસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવાશે. જ્યારે આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવશે. અત્યારે અહીં 160 થી વધુ કારીગરો દ્વારા દિવસના 20-20 કલાક સુધી કામ કરવામાં આવી રહ્યું છે. આ મામલામાં કષ્ટભંજનદેવ મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી સાથે અને ભોજનાલયની ડિઝાઈન બનાવનારા આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જર સાથે ખાસ જાણકારી આપી છે.

શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામી દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે કે ”હાલમાં મંદિર પરિસરમાં જે ભોજનાલય છે એ ત્રીસ વર્ષ જૂનું રહેલ છે, જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ અપાઈ છે. સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે જેના લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગતી હોય છે.

શ્રદ્ધાળુઓને મુશ્કેલી ના પડે એટલે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસ સ્વામી, વડતાલના આચાર્ય રાકેશપ્રકાશ દાસ અને મંદિરના પૂજારી ડી. કે. સ્વામી દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે આ નવું ભોજનાલય અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આગામી દિવાળી પર્વ અગાઉ આ ભોજનાલય શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે

ભોજનાલયની વિશેષતાઓ:

ભોજનાલયની વિશેષતાને લઈને આર્કિટેક્ટ પ્રકાશભાઈ ગજ્જર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ”આ ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલ છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું કરવામાં આવશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું કરાશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવેલ છે.

તેના કારણે મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાશે. આ ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય તે માટે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવાશે. જ્યારે પગથિયાઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખવામાં આવશે એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે તોપણ અંદરનું તાપમાન નીચું બન્યું રહેશે.

Scroll to Top