ગિરનાર માં મેઘરાજા નો તાંડવ પગથીયા પર નદી જેવું નઝરાણું જોવો પાણીનો અદભૂત નજારો ક્લિક કરી ને જુવો ફોટા

ગિરનાર એટલે ભગવાન શિવ શંકર ભોળાનાથ નો પવિત્ર ગઢ અને આ પવિત્ર ગઢ નો જંગલ વિસ્તાર ખૂબ આકર્ષક છે તેવા માં વરસાદ ની ઋતુમાં આ જંગલ વિસ્તાર ખૂબ જ રમણીય અને સુંદર લાગે છે.

તેવામાં જંગલમાંથી પસાર થતી નદી ખુબજ સુંદર દેખાય છે નદી નું જડસ્તર વધતા જંગલ ખુબજ શોભા ધરાવતું બન્યું છે સમગ્ર જંગલ વિસ્તાર એ જાણે લીલી ચાદર ઓઢી હોઈ તેવું લાગે છે.

ત્યારે આવા સુંદર અને રમણીય માહોલ વચ્ચે મેઘરાજા ની મહેરબાની થોડી વધાર થઇ હતી ત્યારે આ સમગ્ર નજરાણું ભયભીત બન્યું હતું સમગ્ર વિસ્તાર માં ઠેર ઠેર પાણી ભરાય હત્યા તો મંદિર ના પગથીયામાં તો નદી જેવો નજારો થયો હતો.

ભવનાથ પાસે જંગલમાંથી પસાર થતી નદી ભવનાથ પાસેનો નજારો જંગલમાં ઝરણા વહેવા લાગ્યા વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો આ વિસ્તારમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો વંથલીમાં 5, જૂનાગઢ,વિસાવદરમાં 4,માણાવદર, મેંદરડા અને ભેંસાણમાં બે ઈંચથી વધુ વરસાદ

વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અષાઢી માહોલ બંધાયો છે અને તાલુકાઓમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળ્યો છે.

ત્યારે બુધવારે સવારથી જ વરસાદી માહોલ રહેતા જિલ્લામાં એકથી ચાર ઇંચ જેવો સરેરાશ વરસાદ પડી જવા પામ્યો હતો. ત્યારે અત્યાર સુધી ખાલી રહેલો ઓઝતનો પટ્ટ પણ વરસાદને લઇ પાણીથી ભરાઇ ગયો હતો.

જો કે ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકા સિવાય અન્ય તમામ તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો છે. વાત કરીએ બુધવારનાં વરસાદની તો જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.

સૌથી વધુ ગિરનાર પર્વત પર 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી ગિરનારના પગથીયા પર નદીની જેમ પાણી વહ્યું હતું. ભારે વરસાદ હોવા છતાં પણ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પરથી ઝરણારૂપી પાણીના ધોધે અદભૂત નજારો સર્જ્યો હતો.

વંથલીમાં પાંચ ઇંચ વરસાદ

ભેંસાણ, કેશોદ, માણાવદર, મેંદરડાનાં એકથી બે ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ વિસાવદર અને વંથલીમાં પાંચ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લાનાં માંગરોળ અને માળિયામાં માત્ર વરસાદી ઝાંપટા જ રહ્યાં હતાં.

જો કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતાં હાલ ઠંડક પ્રસરી જવા પામી છે. વંથલીમાં પાંચ ઈંચ જેવો વરસાદ પડી ગયો હતો. અને ઉપરવાસમાં સારો વરસાદ થતા ઓઝતમાં ઘોડાપૂર આવ્યું હતું. જૂનાગઢનાલોકોની જીવાદોરીસમાન વિલિંગ્ડનડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર પણ છલકાયું છે.

બાબરામાં અનરાધાર 3,રાજુલામાં 2 ઇંચ વરસાદ

અમરેલી જિલ્લામાં અડધાથી લઇ ત્રણ ઇંચ વરસાદના કારણે વાડી ખેતરોમાથી પાણી દોડવા લાગ્યા હતા. બાબરા પંથકના ખેડૂતો છેલ્લા એક પખવાડીયાથી વરસાદની રાહમાં હતા. ઉભો મોલ સુકાઇ રહ્યો હતો. સિઝનમા સારો વરસાદ થયો ન હોય તળમાં પણ પાણી ન હતા.

પરંતુ આજે બપોર બાદ ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ત્રણ ઇંચ પાણી પડી જતા શહેરની બજારોમાં પણ પાણી દોડવા લાગ્યા હતા. ચમારડી, ઘુઘરાળા, ઉંટવડ, ખાખરીયા, દેવળીયા, કોટડાપીઠા વગેરે ગામમાથી સારા વરસાદના વાવડ છે. અમરેલી શહેરમાં પણ સાંજના સમયે ધીમીધારે વરસાદનુ આગમન થયુ હતું અને રાત પડતા સુધીમા એક ઇંચ વરસાદ પડી જતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી.

જાફરાબાદ પંથકમાં એક ઇંચ વરસાદ

બગસરા, લાઠી અને લીલીયા પંથક પર પણ મેહુલીયો મહેરબાન થયો હતો અને દોઢ ઇંચ વરસાદ વરસાવી દેતા વાડી ખેતરોમાથી પાણી વહી ગયા હતા.

જાફરાબાદ પંથકમા પણ એક ઇંચ વરસાદ થયો હતો. તો બીજી તરફ રાજુલા પંથકમા ધોધમાર વરસાદ તૂટી પડતા જોત જોતામા બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.

રાજુલા પંથકમા આમ પણ વરસાદની ખેંચ હોય ગઇકાલને વરસાદથી ખેડૂતોને રાહત થઇ હતી. આજે ધારી પંથકમા પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડીયા, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં પણ ધીમીધારે સતત વરસાદ વરસતો રહ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જિલ્લાના મોટાભાગના જળાશયોમા સ્ત્રાવ ક્ષેત્રમા ભારે વરસાદ ન હોય હજુ નવા નીરની આવક થઇ નથી.

ક્યાં કેટલો વરસાદ

અમરેલી- 25મીમી બાબરા- 65મીમી બગસરા- 40મીમી ધારી- 15મીમી જાફરાબાદ- 28મીમી લાઠી- 35મીમી લીલીયા- 37મીમી રાજુલા- 47મીમી સાવરકુંડલા- 8મીમી ખાંભા- 6મીમી વડીયા- 7મીમી

ડેમ વિસ્તારમાં કેટલો વરસાદ

ખોડિયાર- 7મીમી મુંજીયાસર- 38મીમી વડીયા- 6મીમી ઠેબી- 10મીમી શેલદેદુમલ- 10મીમી  રાયડી- 20મીમી ધાતરવડી-1 20મીમી ધાતરવડી-2 30મીમી સુરજવડી- 10મીમી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top