ભોપાલના લૌખેડી ખાતે સુએજ ચેમ્બરમાં મૃત્યુના કેસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને તપાસ અહેવાલ રજૂ કર્યો છે. વહીવટીતંત્રે સ્વીકાર્યું છે કે ઇજનેરો અને કામદારો સલામતીના સાધનો અને સલામતીના ધોરણો વિના ગટરમાં ઉતર્યા હતા. કંપની અંકિતા કન્સ્ટ્રક્શન્સ દ્વારા સલામતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા ન હતા. પ્રશાસને એ પણ સ્વીકાર્યું કે મૃતક કાર્યકર સગીર હતો.
આ અહેવાલ બાદ શહેરી વહીવટી પ્રધાન ભૂપેન્દ્ર સિંહે પોલીસ કમિશનરને ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ મૃતકોના આશ્રિતોને 10-10 લાખ રૂપિયાની સરકારી સહાયનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ માં લગભગ 20 ફૂટ ઊંડે ગટરની ટાંકીમાં ઉતરતાં બે લોકોનાં મોત થયાં હતાં.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર એન્જિનિયર સાથે મૃત્યુ પામેલા કામદારોમાંનો એક 18 વર્ષનો કિશોર હતો અને તે અધિકારી બનવા માંગતો હતો. ઝાબુઆથી કેટલાક પુસ્તકો ખરીદવા માટે પિતા પાસે આવ્યૉ હતો. પિતા પર બોજો ન આવે એટલે 13 ડિસેમ્બરે તે કામ માટે ચેમ્બરમાં ગયો હતા. જણાવી દઈએ કે સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધો છે.