BollywoodEntertainment

તો આ કારણે અનુપમામાં ખતમ થયો દેવિકાનો રોલ….. 

ટેલિવિઝનની દુનિયામાં અનુપમાએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે. અનુપમા સિરીયલના દરેક કિરદારે ઘર-ઘર માં પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી છે. સિરીયલમાં અનુજના મિત્રનો રોલ પ્લે કરનાર નિતેશ પાંડેનું નિધન ૨૩ મે ૨૦૨૩ નાં રોજ થયું હતું. નિતેશ પાંડેના નિધનના કારણે સિરીયલના ટ્રેકમાં ઘણો ફેરફાર કરવો પડયો છે. બીજી તરફ, નિતેશના નિધનથી આ સિરીયલના એક એક્ટરનું ઘણું નુકસાન થયું છે. અનુપમા શોમાં જસવીર કૌર દેવિકાનો રોલ પ્લે કરી રહી છે પરંતુ જ્યારથી એક્ટર નિતેશ પાંડેનું નિધન થયું છે ત્યારથી તે સીરિયલમાં નજર આવી રહી નથી.

તમને જણાવી દઈએ કે, જસવીર કૌરે તેના ઇન્સ્ટાગ્રામ પર નિતેશ સાથે એક ફોટો શેર કર્યો છે અને તેના કો-એક્ટરને યાદ કર્યા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જસવીરે જણાવ્યું કે, અનુપમા શોમાં પોતાના રોલ વિષે તેને કોઈ માહિતી નથી. તે આ શોમાં વાપસી કરશે અથવા તેનો રોલ આગળ ચાલશે કે નહિ તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. જસવીરે જણાવ્યું કે, લગભગ ત્રણ મહિના પહેલા તેણે અનુપમા માટે શૂટિંગ કર્યું હતું, જ્યારે અનુજ કપાડિયા હાઉસ છોડીને મુંબઈ જતો રહે છે.

જસવીરે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તે સમયે સિરીયલના ટ્રેકમાં મારા અને નિતેશના મેરેજ થવાના હતા પરંતુ નિતેશના મૃત્યુના કારણે બધું ત્યાં સ્ટોપ થઇ ગયું છે. ત્યારબાદ આ શોનો ટ્રેક બદલી લેવામાં આવ્યો છે. જસવીરને હવે નિતેશની જગ્યાએ બીજું કોઈ આવશે કે નહિ તેની કોઈ માહિતી નથી. જસવીરે આગળ જણાવ્યું કે, હું આશા વ્યક્ત કરું છુ કે, મારો રોલ શોમાં ફરીથી રીવાઈલ થાય. મને અત્યારે મારા રોલ વિશે કોઈ માહિતી નથી. સિરીયલની પ્રોડક્શન ટીમની પાસે જરૂર કોઈ સારી યોજના હશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker