સોખડામાં વિશ્વવંદનીય સંત હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસી થયા બાદ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદી માટે વિવાદ સર્જાયેલો છે. સોખડા સ્વામીનારાયણ મંદિરમાં ઉત્તરાધિકારીની ગાદી માટે હરિભક્તોના બે જૂથ સામ-સામે આવી ગયા હતા. સોખડા સ્વામી નારાયણ મંદિરમાં સ્વામી હરિપ્રસાદના ઉત્તરાધિકારી તરીકે પ્રેમ સ્વરૂપદાસ અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે સોખડામાં જંગ છેડાઈ ગયેલ છે.
સોખડા સ્વામી નારાયણ મંદિરમાં સ્વામી હરિપ્રસાદના ઉત્તરાધિકારી તરીકે પ્રબોધ સ્વામીની નિમણૂક કરવામાં આવતા વિરોધ થયો છે. હરિપ્રસાદ સ્વામી એ પ્રેમ સ્વરૂપદાસ ને યોગી ડીવાઇન સંસ્થાની જવાબદારી સોંપવા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં સોખડામાં ગઈકાલે તો બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે.
હરિપ્રસાદ સ્વામીએ પ્રેમ સ્વરૂપદાસને યોગી ડીવાઇન સંસ્થાની જવાબદારી સોંપવા ઈચ્છા વ્યક્ત કરવામાં આવ હતી. ત્યાગ વલ્લભ સ્વામી મદદમાં રહેશે એવી વાત કરવામાં આવી હતી જેનો વિડીયો પણ વાઈરલ થયો હતો. ગઇકાલના મોડી રાત સુધી હરિભક્તોએ ધૂન બોલાવી વિરોધ કરતા સભાને રદ્દ કરવાની નોબત આવી હતી.
આજે સાંજે ફરી બેઠક બોલાવી ગાદીપતિ માટે નિર્ણય લેવાશે. જ્યારે સોખડામાં દાસના દાસ કણ-કણમાં વિલિન થઈ ગયા બાદ સંપ્રદાયની જવાબદારી ત્રણ સંતોને સોંપવાનો નિર્ણય કરાયો હતો. પ્રેમ સ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, પ્રબોધજીવન સ્વામી હવે હરિધામ સોખડા અને યોગી ડિવાઇનની જવાબદારી ઉપાડવામાં આવશે.
આ સિવાય કમિટીમાં અન્ય બે વ્યક્તિઓ પણ રહેશે. આ કમિટીમાં અશોક પટેલ અને વિઠ્ઠલદાસ પટેલ પણ હાજર રહેશે. આમ કુલ પાંચ સભ્યોની કમિટી સંપ્રદાયની જવાબદારી ઉપાડવામાં આવશે. આવો નિર્ણય આ અગાઉ કરાયો હતો.
આ દરમિયાન આજે સોખડામાં મળનારી બેઠક રદ કરવામાં આવી હતી. વિશ્વ વંદનીય સંત હરિપ્રસાદ સ્વામી જે દાસના દાસ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા હતા તેમના અક્ષરનિવાસી થયા બાદ સંપ્રદાયમાં શરૂ થયેલી આ ખેંચતાણથી લાખો ભક્તોની આસ્થાને ઠેંસ પહોંચશે જ્યારે સંતો આ વિવાદનો નિવેડો કેવી રીતે લાવે છે તે હવે જોવાનું રહેશે.