મસ્જિદ બંધ કરવા અંગેના નિવેદન પર શ્રીનગર પોલીસે ઓવૈસીને આપ્યો જડબા તોડ જવાબ, કરી દીધી બોલતી બંધ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના જામા મસ્જિદ બંધ હોવાના નિવેદન પર શ્રીનગર પોલીસે જવાબ આપ્યો છે. પોલીસે કહ્યું કે મસ્જિદ સંપૂર્ણપણે ખુલ્લી છે અને ઓવૈસી સત્યથી દૂર છે. અજ્ઞાન કોઈ બહાનું નથી. મંગળવારે એક ટ્વિટમાં શ્રીનગર પોલીસે કહ્યું, ‘જામા મસ્જિદ સંપૂર્ણ રીતે ખુલ્લી છે. કોવિડ પછી ત્રણ પ્રસંગોએ, આતંકવાદી હુમલા અને કાયદો અને વ્યવસ્થાને કારણે શુક્રવારની નમાઝ માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. આવું ત્યારે કરવામાં આવ્યું જ્યારે જામિયા પ્રશાસને જવાબદારી લેવાનો ઇનકાર કર્યો. દૂર રહેવું એ અજ્ઞાનતા માટે કોઈ બહાનું નથી.
શ્રીનગર પોલીસનો આ જવાબ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ટ્વીટ બાદ આવ્યો છે, જેમાં તેણે જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાને પૂછ્યું હતું કે શોપિયાં અને પુલવામામાં સિનેમા હોલ ખુલી શકે છે ત્યારે શ્રીનગરની જામિયા મસ્જિદ દર શુક્રવારે કેમ બંધ કરવામાં આવે છે. તેણે ટ્વીટમાં લખ્યું, ‘મનોજ સિન્હા, તમે શોપિયાં અને પુલવામામાં સિનેમા હોલ ખોલ્યા પરંતુ જામિયા મસ્જિદ દર શુક્રવારે કેમ બંધ રહે છે. ઓછામાં ઓછું બપોરના મેટિની શો માટે તેને બંધ ન કરો.’
Jamia is fully opened,only on 3 occasions post-covid,it was temporarily shut for friday noon prayers owing to inputs of terror attack /law & order situation.This was after Jamia authorities failed to take responsibility of happenings inside. Staying far is no excuse of ignorance. https://t.co/wqicG3oAr2
— Srinagar Police (@SrinagarPolice) September 20, 2022
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મંગળવારે શ્રીનગરના સોનવર વિસ્તારમાં ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે જ કાશ્મીરમાં મોટા પડદા પર ફિલ્મ જોવા માટે દર્શકોની ત્રણ દાયકાની રાહનો અંત આવ્યો. ઉદ્ઘાટન બાદ લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે, તે લોકોના સપના, આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓની નવી સવારનું પ્રતિબિંબ છે. મલ્ટિપ્લેક્સ મેનેજમેન્ટે પહેલા દિવસે અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું. મલ્ટીપ્લેક્સમાં 30 સપ્ટેમ્બરથી અભિનેતા રિતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’થી શરૂ થશે. કાશ્મીરના આ પ્રથમ મલ્ટિપ્લેક્સમાં કુલ 520 બેઠકોની ક્ષમતા સાથે ત્રણ સિનેમા હોલ છે.
ઉલ્લેખનીય છે કે 1989-90માં થિયેટર માલિકોએ આતંકવાદીઓની ધમકીઓ અને હુમલાઓને કારણે ઘાટીમાં તેમના સિનેમા હોલ બંધ કરી દીધા હતા. 1980ના દાયકામાં કાશ્મીરમાં એક ડઝનથી વધુ સિનેમા હોલ ચાલતા હતા.પરંતુ આતંકવાદી ગતિવિધિઓ વધવાને કારણે તે બંધ થઈ ગયા હતા.