તમે લોકોને મંદિરોમાં દેવી-દેવતાઓને ફૂલ, પાણી, દૂધ ચઢાવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ ભગવાનને બીડી ચઢાવતા જોયા કે સાંભળ્યા છે? તમને જણાવી દઈએ કે, બિહારમાં એક એવું અનોખું મંદિર છે, જે આવી જ અનોખી પરંપરા માટે પ્રખ્યાત છે. તે બિહારના કૈમુરમાં આવેલું છે. આવો અમે તમને આ મંદિર વિશે સારી રીતે જણાવીએ.
ભક્તો અહીં શા માટે આવે છે?
મંદિરમાં મુસરહવા બાબાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને દૂર-દૂરના વિસ્તારોમાંથી ભક્તો પોતાની ઈચ્છા સાથે અહીં આવે છે અને ‘બીડી’ ચડાવે છે.
દર્શન પછી બીડી ચઢાવવામાં આવે છે
બાબાના દર્શન પછી ભક્તો ‘બીડી’નું બંડલ ખોલીને તેને સળગાવીને બાબાને ચડાવે છે. એવું કહેવાય છે કે બીડી ચઢાવવાથી બાબા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની મનોકામના પુરી કરે છે.
જૂની પરંપરા
પૂજારીના કહેવા પ્રમાણે, આ મંદિરમાં વર્ષોથી ‘બીડી’ ચડાવવામાં આવે છે અને જે લોકો તેને ચડાવી શકતા નથી તેઓ પાછા બીડી ચઢાવવા આવે છે.