કોમેડિયન સુગંધા મિશ્રા 26 એપ્રિલે જલંધરમાં કોમેડિયન સંકેત ભોસલે સાથે લગ્નગ્રંથિથી જોડાશે. સુગંધા મેરેજ માટે તેના ઘરે પહોંચી ગઈ છે. સુગંધાના મેરેજની રસમો શુક્રવારથી ગણપતિ પૂજન સાથે શરૂ થઈ ગઈ છે.
ગણપતિ પૂજનમાં સુગંધાના પરિવારના બધા સભ્યો સામેલ થયા છે. લગભગ દોઢ વર્ષ પહેલા નક્કી થયેલ મેરેજની તારીખ કોરોના કાળમાં ઘણીવાર આગળ વધારવી પડી છે. ત્યારબાદ ગયા અઠવાડિયે સુગંધા અને સંકેતે મેરેજની તારીખની જાહેરાત ઈન્ટરનેટ મીડિયા દ્વારા કરી હતી. મેરેજ પહેલા સગાઈની રસમ બંને પરિવાર તરફથી કરવામાં આવી હતી.
સુગંધાના પરિવાર તરફથી ક્લબ કબાના મેરેજની જગ્યા માટે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે મેરેજમાં ઘણા ફિલ્મી સ્ટાર્સ સાથે-સાથે શહેરની મોટી-મોટી હસ્તીઓ પણ આવવાની હતી પરંતુ કોરોના પ્રોટોકોલના કારણે સરકાર દ્વારા મેરેજમાં 20 લોકોની સંખ્યા નક્કી કર્યા બાદ સુગંધા અને સંકેતના પરિવારે મહેમાનોની યાદી ખૂબ નાની કરી દીધી છે.
હવે લગ્ન સમારોહમાં પારિવારિક સભ્યો સિવાય ખૂબ નજીકના લોકો સામેલ થશે. પહેલા મેરેજને દિવસે રાખવા પર વિચારણા કરવામાં આવી હતી. સંકેતના પરિવારે દિવસના મેરેજ રાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, કારણકે મરાઠી સંસ્કૃતિ પ્રમાણે દિવસે મેરેજ કરવામાં આવે છે પરંતુ હવે બંને પરિવારે રાત્રે મેરેજ રાખવાની સહમતી વ્યક્ત કરી છે. સંકેતનો પરિવાર હજુ મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે, પહેલા આલીશાન મેરેજની તૈયારી કરવાનો નિર્ણય સુગંધાના પરિવારે કર્યો હતો પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને હવે મેરેજ સાદાઈથી ત્રણ રાજ્યોના રીત-રિવાજથી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, મેરેજમાં સામેલ થનાર બધા લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે કહી દેવામાં આવ્યું છે. સંકેત ના પરિવાર તરફથી મેરેજમાં સામેલ થનાર બધા લોકોએ ટેસ્ટ કરાવી લીધો છે સુગંધાના પરિવારના લોકો હજુ ટેસ્ટ કરાવી રહ્યા છે.