સુરતમાં શેરી ગરબા રમવા માટે SMC ની આ ગાઈડલાઈન્સનું કરવું પડશે ચુસ્ત પાલન…..

સુરત શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં ધીમે ધીમે સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પોઝિટિવ કેસ સામે આવતા જ સીલ કરવામાં આવેલા બે એપાર્ટમેન્ટમાં ફરી ત્રણ બાળકો કોરોના સંક્રમિત સામે આવતા સુરત પાલિકા ટેસ્ટીંગની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.

તેમાં પણ છેલ્લા બે અઠવાડિયા દરમિયાન રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાંથી પોઝિટિવ કેસો સામે આવતા જ મનપા દ્વારા 1,800 જેટલા એક્ટિવ સર્વેલન્સ વર્કરોને કામ પર લગાડી દેવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ આગામી નવરાત્રીના પર્વને લઈને યોજાનાર શેરી-ગરબા ના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકોએ વેકસીનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો હશે. તેવા જ લોકોને જ શેરી ગરબા અથવા સોસાયટીમાં યોજાનાર ગરબામાં ભાગ લઈ શકશે. જ્યારે સુરતમાં એક બાદ એક સોસાયટીઓમાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેના કારણે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ બાદ લગ્ન પ્રસંગ અને જાહેર મેળાવડામાં ગયેલા લોકો હવે કોરોના સંક્રમિત સામે આવી રહ્યા છે. જેમાં સુરતના પીપલોદ અને અઠવા વિસ્તારમાં અઠવાડિયા અગાઉ કોરોના પોઝિટિવ કેસો મળી આવતા બે એપાર્ટમેન્ટ સીલ કરવાની પણ નોબત આવી હતી.

આ બાબતમાં પીપલોદ ખાતે આવેલ આવિષ્કાર એપાર્ટમેન્ટમાંથી બે અને મેઘ મયુર એપાર્ટમેન્ટમાંથી વધુ એક કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. આ કેસોમાં ત્રણ બાળકો કોરોના સંક્રમિત સામે આવ્યા છે. ત્યાર બાદ ટેસ્ટીંગ કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.

તેની સાથે આગામી નવરાત્રીના પર્વને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી જાહેરાત કરતા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. ત્યાર બાદ લોકોને વેકસીનનો પ્રથમ અને સેકન્ડ ડોઝ લીધો હશે તેવા લોકોને જ શેરી ગરબા અથવા સોસાયટીમાં યોજાનાર ગરબામાં ભાગ લઈ શકશે.

તેની સંપૂર્ણ જવાબદારી સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ બનાવવામાં આવેલી સુરક્ષા કવચ સમિતિને જ આપવામાં આવી છે. સુરક્ષા કવચ સમિતિમાં સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરીને તેની જવાબદારી સોંપવામાં આવેલ છે.  જ્યારે નવરાત્રી દરમિયાન સુરત મહાનગરપાલીકાની અલગ-અલગ ટીમો દ્વારા શેરી અને સોસાયટીઓમાં યોજાનાર ગરબામાં ચેકિંગ કરાશે.

Scroll to Top