સુરતમાં ગુરુ-શિષ્યને લજવતી ઘટના સામે આવી છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટનની વાત કરવામાં આવે તો સુરતના કપોદ્રા વિસ્તારની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય શાળાના શિક્ષક દ્વારા 11 વર્ષની વિદ્યાર્થિનીની સાથે છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જેમાં જાણવા મળ્યું છે કે, શિક્ષક વિદ્યાર્થિની વર્ગમાં અભ્યાસ કરતી હોય ત્યારે સગીરના વક્ષ સ્થળ, સાથળ અને પીઠના ભાગે હાથ ફેરવતો હતો. આ અંગેની ફરિયાદના આધારે કપોદ્રા પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના કપોદ્રાના એકે રોડ પર આવેલી જગદગુરુ વલ્લભાચાર્ય વિદ્યાધામ સ્કૂલમાં અભ્યાસ કરનારી 11 વર્ષની સગીરા સ્કૂલમાં જવાની ના પાડતા તેની દાદી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેને પોતાના વર્ગ શિક્ષક નિરવ વૈષ્ણવ વિરુદ્ધ સંગીન આરોપ લગાવ્યા હતા.
આ અંગે વિદ્યાર્થિની દ્વારા કહેવામાં આવ્યું કે, ચાલુ ક્લાસ દરમિયાન શિક્ષક તેની પાસે આવતા અને વક્ષ સ્થળ, સાથળ અને પીઠના ભાગે હાથ ફેરવવા લાગતા હતા. થોડા દિવસ અગાઉ પણ શિક્ષક દ્વારા બદઈરાદા પૂર્વક અશ્લીલ હરકત કરવામાં આવતા ભયભીત થયેલી સગીરા દ્વારા ઘરે આવીને પિતાને આ વિશેની તમામ હકીકત કહી દીધી હતી. આ બાબતમાં શાળાના આચાર્યને પણ વાસ્તવિક્તાની જાણ નહોતી પરંતુ તેમને આ વિશેમાં જેવી જ જાણકારી મળી તેમને તાત્કાલિક કપોદ્રા પોલીસને જાણ કરી દીધી હતી.
જ્યારે કપોદ્રા પોલીસ મથકમાં પીડિત સગીરા દ્વારા ચાઈલ્ડ વેલફેર અધિકારીની હાજરીમાં શિક્ષકની કરતૂતનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા નરાધમ શિક્ષક વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.