‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો લાંબા સમયથી લોકોની ફેવરિટ સિરિયલ છે. આ શોમાં લોકોને હસાવવાની સાથે સામાજિક સંદેશ પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે શો તેની જબરદસ્ત સ્ટોરી અને કોમિક ટાઈમિંગને કારણે નહીં પરંતુ તેની માફીના કારણે ચર્ચામાં રહ્યો છે. શોના નિર્માતાએ સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના ગીત ‘એ મેરે વતન કે લોગોં’ના ખોટા વર્ષનો ઉલ્લેખ કર્યા પછી યે માફી ચર્ચામાં છે.
ટીમે માંગવી પડી માફી
શોમાં ગીતના વર્ષનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ મામલો વધતો જોઈને શોના નિર્માતાઓએ એક નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં માફી માગતા તેમણે લખ્યું- ‘અમે અમારા દર્શકો, ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગીએ છીએ. આજના એપિસોડમાં અમે અજાણતામાં ‘એ મેરે વતન કે લોગોં’ ગીતના રિલીઝના વર્ષ તરીકે 1965નો ઉલ્લેખ કર્યો.’
View this post on Instagram
પોસ્ટમાં આગળ લખ્યું- ‘અમે પોતાને સુધારવા માંગીએ છીએ. આ ગીત 26 જાન્યુઆરી, 1963ના રોજ રિલીઝ થયું હતું. અમે ભવિષ્યમાં સાવચેત રહેવાનું વચન આપીએ છીએ. અમે તમારા સમર્થન અને પ્રેમની કદર કરીએ છીએ. અસિત મોદી અને ટીમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’
ચાહકો કરી રહ્યા છે આવી કોમેન્ટ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ દ્વારા માફી પોસ્ટ કરવામાં આવતા જ ચાહકોએ સતત કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક ચાહકે કોમેન્ટ કરી- ‘આ શો જોયા વિના મારું લંચ પૂરું થતું નથી. મને આ શો ખૂબ જ ગમે છે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું – ‘આને કહેવાય છે વાસ્તવિકમાં દર્શકોની કાળજી લેવી. તેમણે ભૂલ કરી અને અમારી સામે સ્વીકારી. આપ સૌને સલામ.’