અફઘાનિસ્તાનમાં કબજો મેળવ્યા બાદ તાલિબાને 2300 આતંકવાદીઓને જેલમાંથી કર્યા મુકત

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવી લેવામાં આવ્યો છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા પર આવતાં જ એક મોટો નિર્ણય લઇ લીધો લીધો છે. તેમણે અફઘાનિસ્તાનમાં જેલમાં બંધ ૨૩૦૦ જેટલા ખુંખાર આંતકવાદીઓને મુકત કરી દીધા છે. જ્યારે તેમાં ટીટીપીના ડેપ્યુટી ચીફ ફકીર મોહમ્મદને પણ જેલમાંથી મુકત કરી દેવામાં આવ્યા છે.

જ્યારે તાલિબાન દ્વારા જેલમાંથી મુકત કરવામાં આવેલા આંતકવાદીઓમાં આંતકી તહરીફ એ તાલિબાન, અલકાયદા અને આઈએસઆઈએસના આંતકીઓ પણ રહેલા છે. આ તમામ ખુંખાર આંતકીઓ અફઘાનિસ્તાનની અલગ-અલગ જેલમાં બંધક હતા. હવે તેવે મુક્ત થઈ ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તેમાંના કેટલાક કેદીઓને ગયા અઠવાડિયે કાબુલ જપ્ત કર્યા બાદ જ છોડવામાં આવ્યા આવ્યા છે. આ લોકોને કંદહાર, બાગ્રામ અને કાબુલની જેલમાં બંધક તરીકે રાખવામાં આવ્યા હતા. મૌલવી ફકીર મોહમ્મદ વિશે વાત કરવામાં આવે તો તે ટીટીપીના પૂર્વ ડેપ્યુટી ચીફ તરીકે રહ્યા હતા. તેમનું જેલથી મુક્ત થવું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ચિંતા વધારી શકે છે.

Scroll to Top