વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સ્પિનર કુલદીપ યાદવને જગ્યા મળી નથી. આ બંને ખેલાડી આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયાના ભાગ હતા.
ચાર મેચની આ સીરિઝમાં હાર્દિકને એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી, જ્યારે કુલદીપ યાદવને સીરીઝની બીજી ટેસ્ટમાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ તેમનું પ્રદર્શન ખાસ સારું રહ્યું નહોતું.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તે ઇંગ્લેન્ડ સામે વનડે સીરીઝના બે મેચોમાં બોલિંગ કરી નહોતી. ત્યાર બાદ તે આઇપીએલ-14 માં પણ બોલિંગ કરી શક્યા નહોતા. તેમ છતાં, ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કહેતા રહ્યા કે, વર્કલોડ મેનેજમેન્ટના કારણે તેમને બોલિંગ સોંપવામાં આપવામાં આવી રહી નથી. મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ઓપરેશન નિર્દેશક ઝહીર ખાને પણ આઇપીએલ-14 ના દરમિયાન કહ્યું હતું કે, હાર્દિકનું વર્ક લોડ ઓછું કરવા માટે તેમનાથી બોલિંગ કરાવી નહોતી. બોલિંગ નહીં કરવું હાર્દિકને ભારે પડ્યું છે અને ટીમથી તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
ભારતીય ટીમ આ પ્રકાર છે: વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગીલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, રવીચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ સીરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ.
ફીટ થવા પર મળશે જગ્યા: લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સાહા
સ્ટેન્ડબાઈ ખેલાડી: અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નગવાસવાલા