અફઘાનીસ્તાનથી ભારતીયોને લઈને વિમાન જામનગર ખાતે પહોંચ્યું, લોકોમાં જોવા મળ્યો હર્ષોઉલ્લાસ

આજ સવારના ભારતીય વાયુસેનાના સી-17 વિમાનના કાબુલથી 120 થી વધુ ભારતીય અધિકારીઓ સાથે ઉડાન ભરવામાં આવી હતી. અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલીફ્ટ કરી આ પ્લેન દ્વારા જામનગર એરપોર્ટ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. કર્મચારીઓને ગઈ કાલ સાંજના જ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડી દેવાયા હતા. સૂત્રોએ અનુસાર જાણવા મળ્યું છે કે, અફઘાનિસ્તાનમાં કેટલાક ભારતીયો, જે ભારત પરત ફરવા માંગે છે, તે સુરક્ષિત ક્ષેત્રમાં છે અને તેમને એક કે બે દિવસની અંદર જ સુરક્ષિત ભારત લાવવામાં આવશે.

જ્યારે અફઘાનિસ્તાન પર UNSC આપાતકાલિન કરવામાં આવેલ બેઠકમાં ભારતના રાજદૂત ટીએસ ત્રિમૂર્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિત ભારત માટે ચિંતાનો વિષય બન્યો છે. અફઘાનિસ્તાનમાં પુરુષ-મહિલા અને બાળકો ભયભીત થયેલા છે. તે તમામને પોતાના ભવિષ્યને લઇને અસમંજસ ઉભી થઈ ગઈ છે.

નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબ્જો કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી નાખ્યા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો ત્યાં બહાર જવાનો રસ્તો શોધી રહ્યા છે. આવા સમયમાં ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને ઇ-ઇમરજન્સી વિઝા આપવા માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.

ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને જોતા વિઝા નિયમોની સમીક્ષા કરવામાં આવી અને મોટી જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી ‘e-Emergency X-Misc Visa’ શરૂ કરવામાં આવ્યા છે. જે લોકો ભારત આવવા માંગી રહ્યા છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Scroll to Top