IND vs BAN: બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીની છેલ્લી મેચ 10મી ડિસેમ્બરે ચટ્ટોગ્રામમાં રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખેલાડી માટે આ મેચ ઘણી મહત્વની બની રહી છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી સતત ફ્લોપ થઈ રહ્યો છે, જ્યારે આ ખેલાડી પહેલા જ T20 અને ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ચૂક્યો છે.
આ ખેલાડી માટે ફરીથી ખરાબ દિવસો શરૂ થયા
બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ODI શ્રેણીમાં ઓપનર તરીકે શિખર ધવન પ્રથમ પસંદગી બની રહ્યો છે. રોહિત શર્મા અને કેએલ રાહુલની ટીમમાં હોવાને કારણે તેને લાંબા સમય બાદ રમવાની તક મળી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. શિખર ધવન આ સિરીઝમાં અત્યાર સુધી એક પણ મોટી ઇનિંગ રમી શક્યો નથી.
ત્રીજી વનડે કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ
જો શિખર ધવન ઓડીઆઈ સીરીઝની છેલ્લી મેચમાં પણ ફ્લોપ થઈ જાય છે તો તેના માટે ફરીથી ટીમમાં જગ્યા બનાવવી ઘણી મુશ્કેલ થઈ જશે. આ શ્રેણીની પ્રથમ મેચમાં શિખર ધવન 17 બોલમાં માત્ર 7 રન જ બનાવી શક્યો હતો, જ્યારે બીજી વનડેમાં પણ તે 10 બોલમાં માત્ર 8 રનનો આંકડો જ સ્પર્શી શક્યો હતો. આવી સ્થિતિમાં સિરીઝની છેલ્લી મેચ તેમના માટે ઘણી મહત્વની બની રહી છે.
ટીમ ઈન્ડિયાના અત્યાર સુધીના આંકડા
37 વર્ષીય શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 166 ODI રમી છે. આ મેચોમાં તેણે 44.38ની એવરેજથી 6790 રન બનાવ્યા છે. તેણે વનડેમાં કુલ 39 અડધી સદી અને 17 સદી પણ ફટકારી છે. શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે 34 ટેસ્ટ મેચ અને 68 ટી20 મેચ પણ રમી છે. ટેસ્ટ મેચમાં તેના 2315 રન અને ટી20માં 1759 રન છે.