પૃથ્વી શોની આગેવાની હેઠળની ટીમમાં 18 વર્ષીય મુશીરની પસંદગી થયા પછી તે અને તેનો ભાઈ સરફરાઝ ખાન રણજી ટ્રોફી નોકઆઉટમાં મુંબઈની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને બેંગ્લોરમાં રમાનાર ઉત્તરાખંડ સામેની મેચ માટે પસંદ કરવામાં આવ્યો નથી, જ્યારે અજિંક્ય રહાણે તેની હેમસ્ટ્રિંગની ઈજા સામે લડી રહ્યો છે.
ઓપનર અને ડાબોડી સ્પિનર મુશીરે અંડર-19 કૂચ બિહાર ટ્રોફીમાં નવ મેચોમાં 67ની સરેરાશથી 670 રન બનાવ્યા, જેમાં બે સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે તે એ ડિવિઝન પોલીસ શીલ્ડ અને માધવ મંત્રી વન-ડે ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. સરફરાઝ અને મુશીરના પિતા ક્રિકેટ કોચ છે. પોતાના બાળકોને પ્રોફેશનલ ક્રિકેટર બનાવવાનો વિચાર તેના મગજમાં ત્યારે આવ્યો જ્યારે તેને એક ક્રિકેટર દ્વારા ટોણો મારવામાં આવ્યો, જેને તેણે કોચિંગ આપયું હતું. નૌશાદે એકવાર આ વાક્ય ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે શેર કર્યું હતું.
ખેલાડીએ કહ્યું હતું કે, “મારી પાસે પ્રતિભા હતી, હું રમ્યો. જો તમારામાં ટેલેન્ટ હોય તો તમારા બાળકોને પ્લેયર બનાવીને બતાવો? હવે નૌશાદના બંને બાળકો ક્રિકેટર છે. સરફરાઝ IPL 2022માં દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી રમતા જોવા મળ્યો હતો. ત્યા જ મુશીરને રણજી ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. સરફરાઝે યાદ કર્યું કે કેવી રીતે તેણે રણજી ટૂર્નામેન્ટના છેલ્લા તબક્કા દરમિયાન ટીમ મેનેજરને તેના ભાઈ માટે પનામા કેપ માટે વિનંતી કરી હતી.
સરફરાઝે મીડિયાને જણાવ્યું, “મેં મેનેજરને મુંબઈથી મારા ભાઈ મુશીર માટે વધારાની કેપની વિનંતી કરી હતી. ભગવાને કૃપા કરી છે. આ તેમની (મુશીર) અને મારા પિતાની મહેનત છે. અમને ક્રિકેટર બનાવવા માટે ઘણું બલિદાન આપવામાં આવ્યું છે. નેશનલ ક્રિકેટ એકેડમી ઝોનલ કેમ્પમાં પસંદગી પામ્યા બાદ મુશીર હાલમાં સુરતમાં તાલીમ લઈ રહ્યો છે.
મુશીર કહે છે કે તેના પિતાએ તેને જે કરવાનું કહ્યું તે તેણે કર્યું. તેણે કહ્યું, “મારો ભાઈ સરફરાઝ ખાન અને મારું એક જ સપનું છે – ભારત માટે રમવું અને મારા પિતાને ખુશ કરવાનું. આ સમાચારથી મને ચોક્કસપણે આનંદ થયો છે અને હું પસંદગીકારો અને એમસીએનો આભારી છું. મારે ઘણી લાંબી મંજિલ ખેડવાની છે અને ઘણું બધું કરવાનું છે.”
મુશીરની ક્રિકેટર બનવાની સફરનું વર્ણન કરતાં, નૌશાદે કહ્યું, “આ બધું ત્યારે શરૂ થયું જ્યારે તેની ક્લબ પાયડે એસસીએ તેને વરિષ્ઠ ખેલાડીઓ સામે 15 વર્ષની ઉંમરે ઓપનર બેટ્સમેન બનાવવાનું નક્કી કર્યું. ત્યાંથી તેનો આત્મવિશ્વાસ વધ્યો. મેં સરફરાઝ સાથે પ્રેક્ટિસ કરતી વખતે જે ભૂલો કરી હતી તે જ ભૂલો ન કરવાનો પ્રયાસ કર્યો. સરફરાઝ સાંજે નેટ્સમાં ટ્રેનિંગ કરતો હતો. જ્યારે તે મુંબઈ માટે રમવા ગયો ત્યારે સવારે લાલ બોલથી તે થોડો સંઘર્ષ કરી રહ્યો હતો. મને મારી ભૂલ સમજાઈ. તેથી હવે જ્યારે પીચ પર ઝાકળ હોય ત્યારે અમે સવારે પ્રેક્ટિસ કરીએ છીએ. તેથી જ મુશીર ઝડપી બોલરોને આરામથી રમે છે.
સરફરાઝ અને મુશીરને ક્રિકેટર બનવામાં તેના પિતા નૌશાદનો મહત્વનો ફાળો રહ્યો છે. તેણે રમત પ્રત્યેના તેના જુસ્સાને ટેકો આપવા માટે વિવિધ વસ્તુઓ કરી. પિતાએ એકવાર જણાવ્યું હતું કે પરિવાર કેવી રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થયો. તેણે કહ્યું, “અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, શૌચાલય માટે કતારોમાં ઊભા રહેતા હતા, જ્યાં મારા પુત્રોને થપ્પડ મારવામાં આવી હતી અને પાછા વાળ્યા હતા. અમારી પાસે કંઈ નહોતું અને કંઈપણ પાછું લઈશું નહીં. સરફરાઝે એક વાર મને કહ્યું હતું કે, ‘અબ્બુ, આવું ન થાય તો? અમે ટ્રેક-પેન્ટ વેચી શકીએ છીએ.